બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / ketu gochar 2023 will move in reverse these zodiac signs or rashiyan will become rich

ગોચર / વર્ષ 2023ના અંતમાં કેતુ ચાલશે ઉલટી ચાલ, આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા

Premal

Last Updated: 04:20 PM, 3 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષમાં કેતુને છાયા ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે. કેતુની પોતાની કોઈ રાશિ હોતી નથી, પરંતુ આ અન્ય ગ્રહોની જેમ ફળ આપે છે. જેની અસર અચાનક થાય છે, તેથી તેને માયાવી અથવા પાપી ગ્રહ પણ કહેવામાં આવે છે. ઓક્ટોબર 2023માં કેતુ રાશિ પરિવર્તન કરશે. આવો જાણીએ કેતુના આ ગોચરથી કઈ રાશિઓને લાભ થશે.

  • વર્ષ 2023ના અંતમાં કેતુ ચાલશે ઉલ્ટી ચાલ
  • કેતુના આ ગોચરથી કઈ રાશિઓને લાભ થશે
  • કેતુના કારણે જાતક ચિંતનશીલ વિચારોથી યુક્ત હોય છે

કેતુ કર્મ પ્રધાન અને ધર્મ પ્રધાન ગ્રહ છે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોઈ પણ ગ્રહ અથવા નક્ષત્ર ચાલ બદલે છે તો તેનાથી જાતકોના જીવન પર ઊંડી અસર પડે છે. જ્યોતિષમાં કેતુને રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે અને છાયા ગ્રહ માનવામાં આવે છે. કેતુ કર્મ પ્રધાન અને ધર્મ પ્રધાન ગ્રહ છે, જે સારો અને ખરાબ બંને પ્રકારનો પ્રભાવ નાખે છે. આ વર્ષે 2023માં કેતુ શુક્ર ગ્રહની રાશિ તુલામાંથી નિકળીને બુધ ગ્રહની રાશિ કન્યામાં પ્રવેશ કરશે. કેતુને એક રાશિમાંથી નિકળીને બીજી રાશિમાં જવામાં 18 મહિનાનો સમય થાય છે. કેતુના કારણે જાતક ચિંતનશીલ વિચારોથી યુક્ત હોય છે અને તેની અંદર ઊંડા વિશ્લેષણની ક્ષમતા આવી જાય છે. 

કેતુના ગોચરનો આ રાશિઓ પર પ્રભાવ 

વૃષભ

કેતુ વૃષભ રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. વૃષભ રાશિના જાતકોને અત્યારે શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જો તમે મહેનત કરતા રહેશો તો તેનુ પરિણામ સકારાત્મક મળશે. વૃષભ રાશિના જાતકોને નોકરીમાં સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. જૂની બિમારીમાંથી રાહત મળી શકે છે. 

સિંહ

કેતુ સિંહ રાશિના ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે. દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. સહકર્મીઓનો સહયોગ તમને આગળ વધારવામાં સફળતા અપાવશે. સિંહ રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત રહેશે. ભાઈ-બહેનોના નિયમિત સહયોગથી તમને આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકે છે. 

ધન 

કેતુ ધન રાશિના અગિયારમા ભાવમાં બિરાજમાન થશે. કેતુના આ ગોચરથી ધન રાશિના જાતકોની બધી સમસ્યાઓ સમાપ્ત થશે. ધન રાશિના જાતકોની અત્યારે બધી ઈચ્છાઓ પૂરી થશે. સમાજમાં તમારું માનસન્માન વધશે. ભરપૂર આર્થિક લાભ થશે. જે લોકો શેર માર્કેટ અને રોકાણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પણ અત્યારે લાભ થશે. 

મકર

કેતુ મકર રાશિના દસમા ભાવમાં બિરાજમાન રહેશે. આ દરમ્યાન તમને ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે તમારું સાહસ તો વધશે અને બિઝનેસમાં ઉન્નતિના નવા રસ્તા પણ ખુલશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ