કીટો ડાયેટ અથવા કીટોજેનિક ડાયેટ કરીને આજકાલ લોકો પોતાને ફિટ રાખે છે. કીટો ડાયેટમાં ઓછા કાર્બોહાઇડ્રેડ વાળા ખાદ્યપદાર્થ સામેલ કરવામાં આવે છે. આ ડાયેટમાં લિવરમાં કીટોન ઉત્પન્ન થાય છે.
કીટો ડાયેટમાં લિવરમાં કીટોન ઉત્પન્ન થાય છે
આ ડાયેટને કીટોજેનિક ડાયેટ, લો કાર્બ ડાયેટ કે ફેટ ડાયેટ જેવા નામથી ઓળખવામાં આવે છે
થોડા સમય પહેલા લોકો એટકિંસ ડાયેટ લેવાનુ પસંદ કરતા હતા. તેમાં ઓછા કાર્બોહાઇડ્રેટ વાળા ભોજ્ય પદાર્થો સામેલ હતા, પરંતુ હવે કીટોજેનિક કહેવાતા આહારનુ ચલણ વધ્યુ છે. આ આહારે વૈજ્ઞાનિકોનુ પણ ધ્યાન ખેંચ્યુ છે. તેમણે તેના સંભવિત ફાયદા અને નુકસાન પર ચર્ચા શરુ કરી દીધી છે.
એટકિંસ અને કીટોજેનિક ડાયેટમાં લોકો પોતાના ભોજનમાં એવા પદાર્થોને સામેલ કરે છે જેમાં કાર્બોહાઇડ્રેડ હોતા નથી. એટકિંસ ડાયેટમાં કાર્બોહાઇડ્રેટની માત્રા સમયની સાથે વધારાય છે, પરંતુ કીટોજેનિક ડાયેટમાં કાર્બોહાઇડ્રેડ અને પ્રોટીનની સીમા નિર્ધારિત કરી દેવામાં આવે છે. એક કીટો ડાયેટમાં 10 ટકાથી ઓછુ કાર્બોહાઇડ્રેટ અને 20 ટકા પ્રોટીન લેવુ જરુરી હોય છે.
શું છે કીટો ડાયેટ
કીટો ડાયેટ અથવા કીટોજેનિક ડાયેટ કરીને આજકાલ લોકો પોતાને ફિટ રાખે છે. કીટો ડાયેટમાં ઓછા કાર્બોહાઇડ્રેડ વાળા ખાદ્યપદાર્થ સામેલ કરવામાં આવે છે. આ ડાયેટમાં લિવરમાં કીટોન ઉત્પન્ન થાય છે. તેથી આ ડાયેટને કીટોજેનિક ડાયેટ, લો કાર્બ ડાયેટ કે ફેટ ડાયેટ જેવા નામથી ઓળખવામાં આવે છે.
શું કહે છે સંશોધનો
છેલ્લા કેટલાક સમયમાં કીટોજેનિક આહાર પર ઘણા અભ્યાસ થઇ ચુક્યા છે, પરંતુ તે નાના અને ઓછા સમયના રહ્યા છે. કેલિફોર્નિયા યુનિવર્સીટીના સંશોધક ડો ઇથન વીસ ઓછા કાર્બોહાઇડ્રેટવાળા આહાર પર શંકા વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે તેમણે થોડા વર્ષો પહેલા કીટો ડાયેટ પર સંશોધન કરવાનુ નક્કી કર્યુ. આ દરમિયાન તેમણે નાસ્તો છોડીને વધારે સલાડ, નટ્સ, પનીર, બાફેલી શાકભાજી અને ગ્રિલ્ડ ચિકન તેમજ માછલી અને સાથે ડાર્ક ચોકોલેટનુ સેવન કર્યુ. તેનુ પરિણામ એ આવ્યુ કે તેમણે ઘણા પૈસા ગુમાવ્યા. તેમને આનાથી કોઇ ખાસ ફાયદો પણ ન થયો અને વધારાનો ખર્ચ પણ થયો
કેટલાક ડોક્ટર્સ કહે છે કે,
કીટો ડાયેટથી વજન ઘટી શકે છે, પરંતુ લાંબા સમયે અન્ય આહારની તુલનામાં તે અધિક પ્રભાવી નથી. કેટલાક લોકો તેને ચિંતાજનક પણ કહે છે. કેમકે તે વધુ ચરબીવાળા ખોરાકને પ્રોત્સાહન આપે છે. જેનાથી હ્રદય રોગ થવાની શક્યતાઓ વધે છે. કેટલાક ડોક્ટરોએ સંશોધનના અંતે એમ પણ જણાવ્યુ કે મેદસ્વીતા અને ડાયાબીટીસ માટે આહાર પ્રત્યેની જાગૃતિ સારી છે, પરંતુ આ ડાયેટથી બ્લડપ્રેશરમાં કોઇ લાભ થતો નથી. તેનાથી કબજિયાત, થાકની સાથે કેટલાક લોકોમાં એલડીએલ કોલેસ્ટ્રોલના કણોમાં વૃધ્ધિ થઇ શકે છે. જે હ્રદય રોગનુ પ્રમુખ કારણ હોય છે.