વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાનો પ્રત્યાઘાત જિલ્લામાં જોવા મળી રહ્યો છે. જેને લઇને પ્રદેશ ભાજપ સહિત કેન્દ્રીય નેતૃત્વ પણ હરકતમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જેને લઇને રાજ્યના બે દિગ્ગજ મંત્રીઓ હાલ દિલ્હી હાઇકમાન્ડ પાસે પહોંચ્યા છે.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના મામલે ડેસર, સાવલી ભાજપના સંગઠનના હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં છે. જેમાં ડેસના 165 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં છે. આ ઉપરાંત સાવલીના 300થી વધારે હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં છે.
જેમાં ડેસર ભાજપ પ્રમુખ નરેન્દ્ર રાઉલજીએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત સાવલી ભાજપ પ્રમુખ મહિપતસિંહ રાણાએ રાજીનામું આપ્યું છે. આ સહિત ભાજપ સમર્થિત સરપંચો પણ રાજીનામું આપવા પહોંચ્યા છે. ડેસર તાલુકાના 29માંથી 22 સરપંચો રાજીનામાં આપ્યાં છે.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના મામલે APMC ડિકરેકટરો-સભ્યોએ સમર્થનમાં રાજીનામાં આપ્યાં છે. ડેસર, સાવલી ભાજપના સંગઠનના હોદ્દેદારોએ રાજીનામા આપ્યાં છે.
જો કે સુત્રોને એક મળતી માહિતી મુજબ ગુજરાતના બે મંત્રીઓ પ્રદિપસિંહ જાડેજા અને સૌરભ પટેલ હાલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. જેને લઇને અટકળો કરવામાં આવી રહી છે કે સરકાર અને સંગઠન મુદ્દે દિલ્હી ગયા છે.