રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને જનસંઘના નેતા કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે નિધન થતા ગુજરાતને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેઓને છેલ્લા કેટલાક દિવસથી ફેફસા અને શ્વાસની બીમારી હતી અને તેમને સ્ટર્લિંન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.
ગુજરાતને વધુ એક મોટો ફટકો
જનસંઘના નેતા કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે નિધન
CM રૂપાણી અને ભાજપે તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
જો કે, તેમને હાર્ટ અટેક આવતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. આ ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપે આજના દિવસના તમામ કાર્યક્રમો મુલતલી રાખ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો
Keshubhai travelled across the length and breadth of Gujarat to strengthen the Jana Sangh and BJP. He resisted the Emergency tooth and nail. Issues of farmer welfare were closest to his heart. Be it as MLA, MP, Minister or CM, he ensured many farmer friendly measures were passed. pic.twitter.com/qvXxG0uHvo
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહીં ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. મુખ્ય મંત્રી રૂપાણીએ વધુમાં કહ્યું કે કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા, રણદીપ સુરજેવાલ, સાંસદ પરિમલ નથવાણી, શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય લલીત કગથરા, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સહિત અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો હતો.
કોણ હતા કેશુભાઇ પટેલ ?
કેશુભાઇ પટેલનો જન્મ 24 જુલાઇ 1928ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી પદ પર રહ્યા હતા. 2 ઓક્ટોબર 2001 ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. 2002માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા અને 4 ઓગસ્ટ 2012 ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.