આજે ગુજરાતમાં ભાજપના પાયા સમાન નેતા કેશુભાઈ પટેલનું નિધન થતાં ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. 92 વર્ષીય કેશુભાઇ પટેલ છેલ્લા કેટલાક દિવસથી ફેફસા અને શ્વાસની બીમારી હતી અને તેમને સ્ટર્લિંન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. જો કે, તેમનું આજે નિધન થયું હતું. તેમને ગાંધીનગર ખાતે સેક્ટર-30માં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા. કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પરિવારજનો, રાજકીય આગેવાનો અને કાર્યકરોએ કેશુબાપાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી.
ગુજરાતમાં ભાજપના પાયા સમાન નેતા કેશુભાઈ પટેલનું નિધન
કેશુબાપાની અંતિમ વિદાય
દિગ્ગજો પહોંચ્યા શ્રદ્ધાંજલિ આપવા
કેશુબાપાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન
કેકેશુબાપાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો. રાજકીય સન્માન સાથે કેશુબાપાના અંતિમ સંસ્કાર કરાયા. કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. શુબાપાના નશ્વરદેહને ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાનગૃહમાં લવાયો હતો. જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન કેશુબાપાના પરિવારજનો, રાજકીય આગેવાનો અને કાર્યકરોએ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી.
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અનેક નેતાઓ અંતિમ વિદાય આપી
ગાંધીગનરમાં સેક્ટર 30ના સ્મશાન ગૃહમાં રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા છે. તો ભાજપ, કોંગ્રેસના નેતાઓ અને પ્રવિણ તોગડિયા પણ હાજર રહ્યા.
કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર અપાયું
કેશુબાપાને ગાંધીગનરમાં સેક્ટર 30ના સ્મશાન ગૃહમાં રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ. કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર અપાયું. ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની નિવાસ સ્થાનેથી તિરંગો લપેટી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા નીકળી હતી.
કેશુબાપાની અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો, રાજકીય નેતાઓ અને અનેક લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા અને કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી હતી.
CM રૂપાણી સહિત દિગ્ગજોએ કર્યાં અંતિમ દર્શન
મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેશુભાઈના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
ગાંધીનગર ખાતે અંતિમ સંસ્કાર
આજે સાંજે પાંચ કલાકે ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે. નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા એક દિવસીય રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
આજે કેશુભાઈ પટેલનું નિધન થતા વડાપ્રધાન મોદીએ પણ શોકની લાગણી વ્યકત કરી હતી અને જણાવ્યું હતુ કે, અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું નિધન થયું છે. મારા હ્દયમાં ગ્લાની ભરાઈ ગઈ છે. તે એક ખુબજ સરસ લીડર અને માર્ગદર્શક હતા. . તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉત્તમ નેતા હતા. તેમનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે સમર્પિત હતું.
हम सभी के प्रिय, श्रद्धेय केशुभाई पटेल जी के निधन से मैं दुखी हूं, स्तब्ध हूं। https://t.co/kWCDdWmyOR
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, મારા સહિત ઘણા નાના કાર્યાકર્તાઓને માર્ગદર્શન આપ્યું અને માવજત કરી. દરેક વ્યક્તિને તેના અનુકૂળ સ્વભાવ ખૂબ ગમતો. તેમનું નિવારણ એક ન પૂરાય તેવી ખોટ છે. આપણે બધાં આજે દુ:ખી છીએ. મારા વિચારો તેના પરિવાર અને શુભેચ્છકો સાથે છે. તેમના પુત્ર ભરત સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો છે.
કેશુભાઈ ખેડૂતોના નેતા હતા
કેશુભાઇએ જનસંઘ અને ભાજપને મજબૂત કરવા ગુજરાતના ખુણેખુણાનો પ્રવાસ કર્યો. તેણે ઇમરજન્સીમાં પણ સખત કામગીરી કરી છે. ખેડૂત કલ્યાણના પ્રશ્નો તેના હ્રદયની નજીક હતા. તે ધારાસભ્ય, સાંસદ, મંત્રી અથવા મુખ્યમંત્રી તરીકે ઘણા સફળ હતા. તેમણે ખેડૂતો માટે ઘણા સારા પગલા ભર્યા હતા.
CM રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહીં ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. મુખ્ય મંત્રી રૂપાણીએ વધુમાં કહ્યું કે કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા, રણદીપ સુરજેવાલ, સાંસદ પરિમલ નથવાણી, શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય લલીત કગથરા, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સહિત અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા કેશુભાઈ પટેલના નિધન પર દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીયાએ કેશુબાપાને રાજનીતિ જગતના બાપા ગણાવ્યા હતા. તો વાસણ આહિરે દુખની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમદાવાદના મેયર બીજ બેન પટેલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભીષ્મ પિતામહને ગુમાવ્યાનું ખુબ દુઃખ છે ગુજરાતમાં હંમેશા તેમની ખોટ રહેશે.
કેશુભાઈના અવસાનથી ખાલીપો ઊભો થયો છેઃ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ કહ્યું કે, કેશુભાઈના અવસાનથી ખાલીપો ઊભો થયો છે, કોરોના બાદ એક વાર સારવાર લીધા બાદ અવસાન થયું છે. પહેલાં એ વાત યાદ આવે એક ખેડૂત પુત્ર હતા. સંઘના પ્રચારકથી મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતા. ભાજપની સ્થાપનામાં તેમનો સિંહ ફાળો છે. ગુજરાતમાં અનેક સપનાઓ તેમને સેવ્યા છે. જળ સંચય માટે મોટો ફાળો તેમનો રહ્યો છે.
કોણ હતા કેશુભાઇ પટેલ ?
કેશુભાઇ પટેલનો જન્મ 24 જુલાઇ 1928ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી પદ પર રહ્યા હતા. 2 ઓક્ટોબર 2001 ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. 2002માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા અને 4 ઓગસ્ટ 2012 ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.