કેરળમાં મોનસૂન દરમિયાન અન્ય રાજ્યોની તુલનામાં સૌથી વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે કેરળમાં ઓછા દબાણને કારણે 37% વધારે વરસાદ પડ્યો છે.
પર્યાવરણ વૈજ્ઞાનિક આ આપદા માટે રાજ્યમાં ઝડપથી કરવામાં આવેલ જંગલોનું વિચ્છેદીકરણ અને પરિસ્થિતિ મુજબની પર્વત શ્રૃખંલાની દેખભાળ રાખવામાં નિષ્ફળ રહેલ સરકાર આ બાબત માટે જવાબદાર છે.
17 દિવસમાં 170%થી વધારે વરસાદ 36 ડેમમાં તમામ ફાટક ખોલવામાં આવ્યા અને 10 દિવસમાં 194થી વધુ લોકોનું મોત થયું હતું. ઇકોલોજીસ્ટ પેનલે 2011માં નદીઓની પાસેથી ખનન કાર્ય અને ખોટા બાંધકામને અટકાવવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કેરળના મુખ્યપ્રધાન પી.વિજયનના જણાવ્યા અનુસાર રાજ્યની સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે પડોસી રાજ્યોની સરકાર પણ તેના માટે જવાબદાર છે. તાજેતરમાં જ વિજયન અને તમિલનાડૂના CM પલનીસામી વચ્ચે બંધમાંથી પાણી છોડવા મુદ્દે બોલચાલ થઇ હતી. તમિલનાડૂએ 20 ઓગસ્ટના રોજ વધુ એક ડેમમાંથી પાણી છોડવાનું એલાન કરેલ. ઇકોલોજિસ્ટ માધવ ગાડગિલે શનિવારે દાવો કર્યો હતો કે કેરળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલનની આ માનવ સર્જિત ઘટના છે.
રાહત અને બચાવ
25 કરોડ રૂપિયા સૌથી વધારે તેલંગાણાએ દીધા છે.તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાંસદ મંત્રી મુખ્યમંત્રી કેરળને પોતાનું એક માસનું વેતન આપ્યું છે. આ સાથે જ 20 કરોડ મહારાષ્ટ અને 15 કરોડ UP એ આપ્યા હતા.
તો આ તરફ બિહાર ગુજરાત હરિયાણા પંજાબ અને આંધ્ર પ્રદેશના 10-10 કરોડ તમિલનાડૂ ઝારખંડ અને ઓરિસ્સાએ 5-5 કરોડ રૂપિયાની મદદ કરી હતી. આપને જણાવી દઇએ કે 40 હજાર હેક્ટર પાકને કેરળમાં નુકસાન પહોંચ્યું છે. આ સાથે જ પંજાબે એક લાખ ફુડ પેકેટ અને ગુજરાતે પીવાનું પાણી મોકલ્યું છે.
ખરાબ પરિસ્થિતિનું કારણ પાડોસી રાજ્ય:CM
તમિલનાડૂ સરકારે કેરળને ચોખા દુધ દુધ પાઉડર ચાદર કપડા અને દવાઓ મોકલી છે. પંજાબે એક લાખ ફુડ પેકેટ્સ ભરેલા ટ્રકનો રવાના કર્યા છે. કોચીન પોર્ટ ટ્રસ્ટે પણ ફુડ પેકટેના 5 કંટેનર રવાના કર્યા છે.
કેરળ મોકલવામાં આવતી તમામ સામગ્રીને રેલવે ફ્રીમાં પહોંચાડશે. પીવાના પાણી માટે પૂણેથી 14 ટ્રેન રવાના કરવામાં આવી છે તો આ તરફ ગુજરાત સરકારે પણ 15 ટ્રેન મોકલી છે. આ સાથે ઓરિસ્સાથી 76 થર્મલ વોટ્સ અને 275 ફાયર એન્જિન કર્મચારીને કેરળ મોકલવામાં આવ્યા છે.