રાજ્ય સરકારે પોઝિટિવિટી રેટમાં હજું ઘટાડો લાવવા માટે 5મેથી 9 જૂનની વચ્ચે વધારે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
કેરળમાં 9 જૂન સુધી લોકડાઉન લાગૂ
કોરોના કંટ્રોલ માટે હાઈ લેવલ મીટિંગ કરવામાં આવી
8 મેથી કડક લોકડાઉન લાગુ
કેરળમાં 9 જૂન સુધી લોકડાઉન લાગૂ
કેરળ સરકારે કોરોના સંક્રમણને રોકવા માટે 9 જૂન સુધી લોકડાઉન લાગૂ છે. પરંતુ રાજ્ય સરકારે પોઝિટિવિટી રેટમાં હજું ઘટાડો લાવવા માટે 5મેથી 9 જૂનની વચ્ચે વધારે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. વ્યવસાયિત એક્ટિવિટીઓને શુક્રવારે સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી શરુ રાખવાની પરવાનગી આપી હતી. પરંતુ હવે શનિવારથી નેક્સ બુધવાર સુધી બંધ રહેશે.
કોરોના કંટ્રોલ માટે હાઈ લેવલ મીટિંગ કરવામાં આવી
ગુરુવારે કોરોના કંટ્રોલ માટે હાઈ લેવલ મીટિંગ કરવામાં આવી. જેમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સંક્રમણ દરને ઓછો કરવા માટે અનેક પ્રસ્તાવ આપ્યા. હાલના લોકડાઉન દરમિયાન પીડીએસ અંતર્ગત આવનારા કરિયાણાની દુકાન, ખાવા પીવાના સામાન, શાકભાજી, દૂધ અને ડેરી ઉત્પાદનો, માંસ જાનવરોનો ચારો, બેકરીની દુકાન ખુલ્લી રહેશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીકલ અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા સામાનની દુકાન ખુલ્લી રહેશે.
8 મેથી કડક લોકડાઉન લાગુ
કેરળમાં અહું પણ સંક્રમણ દર 15 ટકાથી વધારે છે. રાજ્યમાં વાયરસને ફેલાતો અટકાવવા માટે 8 મેથી કડક લોકડાઉન લાગુ છે. રાજ્યમાં હોટ સ્પોર્ટની યાદી 6 વિસ્તારમાંથી હટાવવાથી કુલ સંખ્યા 871 રહી ગઈ છે. રાજ્ય સરકારે 10 જૂનથી સરકારી કાર્યાલયો, નિગમો અને આયોગોમાં 50 ટકા ક્ષમતાની સાથે કર્મચારીઓની પરવાનગી આપી છે. આ પહેલા 7 જૂનથી શરુ થવાના હતા.
રાજ્યમાં આ નિયમોનું પાલન ફરજિયાત
સરકારે એમ પણ કહ્યું કે જો એપાર્ટમેન્ટ અથવા રેસિડેન્ટ અસોસિયેશનમાં કોઈ પણ પોઝિટિવ આવે છે. તો તાત્કાલીક હેલ્થ સેન્ટર, પોલીસ અને સ્થાનીય અધિકારીઓને એલર્ટ કરવાના રહેશે. નોટિસ બોર્ડ પર સંક્રમિત આવનારાનો ફ્લેટ નંબર લખાશે. અપાર્ટમેન્ટની લિફ્ટ દિવસમાં ઓછામાં ઓછી 3 વાર સેનેટાઈઝ કરાશે. ત્રીજી લહેરને રોકવા માટે પ્રવાસી મજૂરને રસી લગાવવી પડશે. સમય સમય પર તપાસ કરાવવી પડશે. સરકાર બોર્ડર વિસ્તારમાં રસીકરણ કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યની બહારથી આવનારને કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બતાવવાનો રહેશે.
શું છે કોરોનાની સ્થિતિ
કેરળમાં ગુરુવારે કોરોના સંક્રમણના 18, 853 નવા મામલા આવ્યા. જેમાં રાજ્યમાં પોઝિટિવ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 25.54 લાખ થઈ ગઈ. રાજ્યમાં સંક્રમણથી 153 વધુ લોકોના મોત થવાથી કુલ મૃત્યુ આંક 9375 થઈ ગઈ છે. ગુરુવારે મલપ્પુરમમાં સૌથી વધારે 2,448 મામલા આવ્યા છે, આ બાદ કોલ્લમમાં 2272 અને પલક્કડમાં 2201 મામલા આવ્યા છે. કાલે આવ્યા નવા કેસમાં 79 હેલ્થકેર વર્કસ પણ સામેલ છે. રાજ્યમાં હાલમાં 1.84 લાખ એક્ટિવ કેસ છે.