કેરળમાં સબરીમાલાના બે મહિના લાંબી સીઝન રવિવારથી શરૂ થઇ રહી છે. મંદિરના દ્વારા આજે (16 નવેમ્બર) ખુલશે અને તેની સાથે મંડલા પૂજાની શરૂઆત થશે. તીર્થયાત્રી પહેલાથી જ મંદિર પહોંચવાની તૈયારી કરવા લાગ્યા છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે સબરીમાલા નિર્ણય પર પુનર્વિચાર અરજીને મોટી બેંચ પાસે મોકલી દીધો. કોર્ટના આ નિર્ણય બાદ હવે એ જોવાનું છે કે મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળે છે કે નહીં.
શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે બનાવવામાં આવી છે 2400 શૌચાલય
800થી વધુ ચિકિત્સાકર્મિઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે
સફાઈ પર રહેશે વિશેષ ધ્યાન
મેળાને ધ્યાનમાં રાખતા તંત્રએ પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. પઠાનમથિટ્ટામાં ડિસ્ટ્રીક્ટ કલેક્ટરની પોસ્ટ પર તૈનાત પીપી નોહે તંત્રની તૈયારીઓ વીશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરી કરી લેવાઇ છે. શ્રદ્ધાળુઓ માટે 2400 શૌચાલય અને 250 વૉટર કિયોક્સ (પાણીના મશીન) તૈયાર છે. પરિસરમાં સ્વચ્છ વાતાવરણ યોગ્ય કરવા માટે અમારા 1 હજારથી વધુ સ્વચ્છતા કાર્યકર્તા તૈનાત છે.
શનિવાર સાંજે ખુલશે મંદિર
શનિવાર સાંજે સબરીમાલા મંદિર ખુલવાના સમયે શ્રદ્ધાળુઓની ભીડને કાબૂ કરવા, તેમની સુરક્ષા અને કોઇ પણ પ્રકારની દુર્ઘટનાને પહેલાથી ટાળી દેવાનો ઉદ્દેશ્યની સાથે પઠાનમથિટ્ટામાં અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત કરી દેવાયો છે. જોકે શ્રદ્ધાળુ મંદિરમાં દર્શન કરવા માટે 17 નવેમ્બરથી જ પ્રવેશ કરી શકશે.
800થી વધુ ડૉક્ટરો તૈનાત
સ્વાસ્થ્ય વ્યવસ્થા પર વાત કરતા ડિસ્ટ્રીક્ટ કલેક્ટરે કહ્યું કે, અમે અહીં 800થી વધુ ડોક્ટરને તૈનાત કર્યા છે તેનીસાથે જ 16 ઇમરજન્સી સારવાર કેન્દ્ર બનાવ્યા છે.
SCના ચુકાદા પહેલા 36 મહિલાઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન, કરશે દર્શન
સબરીમાલાને બે મહિના લાંબી સીઝન રવિવારથી શરૂ થઇ રહી છે. મંદિરની ઓનલાઇન બુકિંગ સુવિધા દ્વારા 36 મહિલાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખાસ વાત એ રહી કે આ મહિલાઓએ પોતાનું રજિસ્ટ્રેશન સુપ્રીમ કોર્ટના ગુરૂવારના નિર્ણય પહેલા કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર અને બીજી ધાર્મિક જગ્યાઓ પર મહિલાઓના પ્રવેશ મુદ્દાને ગુરૂવારે સાત જજોની મોટી બેન્ચને મોકલી દીધો.