દેશભરમાં કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી છે. સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રમાં છે ત્યારે કેરળમાં આજે નોંધાયેલા કેસ ચિંતા વધારનારા છે.
ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ
કેરળમાં ગત 24 કલાકમાં નોંધાયા 41,971 કેસ
મૃત્યુઆંક વધીને 5746 થયો
મળતી જાણકારી પ્રમાણે, કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 41,971 કેસ સામે આવ્યા છે. તેની સામે 27,456 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે અને 64 લોકો ના મૃત્યુ થયા છે.
અત્યાર સુધીમાં 5746 લોકોના થયાં મૃત્યું
કેરળ રાજયમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો વધીને 4 લાખ 17 હજાર 633 થઈ ગઈ છે. જેની સામે 14 લાખ 43 હજાર 633 કોરોનાના દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં 5746 લોકોના કોરોનાના કારણે જીવ ગુમાવવો પડ્યો છે .
#COVID19 | Kerala reports 41,971 new cases, 27,456 recoveries and 64 deaths in the last 24 hours
Active cases: 4,17,101
Total recoveries: 14,43,633
Death toll: 5,746
બેંગલોરમાં વધારાના જિલ્લા મૅજિસ્ટ્રેટ અને પોલીસ કમિસનર કમલ પંત દ્વારા કેહવામાં આવ્યું કે 10 મે થી સવારે 6 વાગયા થી 25 મે ના સવારે 6 વાગ્યા સુધી શહેરમાં સંપૂર્ણપણે લોકડાઉન રેહશે. કોઈપણ વ્યક્તિ લોકકડાઉનનું પાલન નઇ કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
દેશમાં દરરોજ નોંધાઇ રહ્યા છે 4 લાખથી વધુ કેસ
આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરે બધા રેકોર્ડ તોડી દીધા છે. શનિવારે સામે આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 4હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાઇરસના રોજના 4લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તામિલનાડુ સરકાર દ્વારા 2 અઠવાડિયાનું સંપૂર્ણ લોકકડાઉન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એવામાં ગિલેડ સાયન્સથી રેમેડીસીવીરના 26,500 વાયલ ભારત પહોંચ્યા છે. તેવામાં થાઈલેન્ડ પણ ભારતની મદદ કરવા માટે આગળ આવ્યું છે .