કેરળમાં કુદરતી હોનારતની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્યમંત્રી પિનારઈ વિજયનને ફોન કરીને રાજ્યના હાલચાલ જાણ્યા હતા.
કેરળમાં કુદરતી હોનારતથી હાહાકાર
રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી હાહાકાર
અત્યાર સુધી 26 લોકોના મોત
પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી વિજયન સાથે કરી વાત
મુખ્યમંત્રીને તમામ પ્રકારની મદદની આપી ખાતરી
પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કેરળના સીએમ વિજયન સાથે ફોન પર વાત કરીને રાજ્યમાં આવેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાની ચર્ચા કરી. પીડિતો અને ઘાયલ થયેલાને મદદ પહોંચાડવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ કરાઈ રહ્યું છે. હું તમામ લોકોની સલામતી અને કલ્યાણની કામના કરું છું. ખેદજનક છે કે રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા છે. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરુ છું.
Spoke to Kerala CM Shri @vijayanpinarayi and discussed the situation in the wake of heavy rains and landslides in Kerala. Authorities are working on the ground to assist the injured and affected. I pray for everyone’s safety and well-being.
It is saddening that some people have lost their lives due to heavy rains and landslides in Kerala. Condolences to the bereaved families.
કેરળના દક્ષિણ અને મધ્ય ભાગમાં ભારે વરસાદને કારણે ઘણી બધી જગ્યાઓ પર પૂર આવ્યું છે જેના કારણે ત્યા પુરને કારણે સૌથી ખરાબ હાલત તઈ ગઈ છે. ઘણી બધી જગ્યાઓ પર ભૂસ્ખલનને થયું છે જેના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. સાથેજ 12 જેટલા લોકો અહીયા લાપતા હતા તેમના પણ મોત નિપજ્યા છે.
It is saddening that some people have lost their lives due to heavy rains and landslides in Kerala. Condolences to the bereaved families.
પરિસ્થિતીને જોતા ગૃહમંત્રી અમિતશાહે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ વરસાદ અને પૂરની સ્થિતી પર નિરિક્ષણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને શક્ય બને તેટલી મદદ કરી છે. બીજી તરફ બચાવ કાર્યોમાં પણ એનડીઆરએફની ટીમોને મોકલી દેવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યુ કે સૌ કોઈ સુરક્ષીત રહે તેવી અમે પ્રાર્થના કરી રહ્યા છે.