વંદે ભારત મિશન હેઠળ સ્વદેશ પરત ફરી રહેલી ફ્લાઈટ વરસાદને કારણે દુર્ઘટનગ્રસ્ત થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનને બચાવવા કમાન્ડર ડીવી સાઠેએ છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યા છે. કે જેથી કે દુર્ઘટનાને ટાળી શકે. તેઓ પોતાનો જીવ ગુમાવી ઘણા અંશે પ્રવાસીઓના જીવ બચાવવામાં સફળ પણ રહ્યા.
લાંબા સમય બાત તેઓ વતન પાછા ફરી રહ્યા હોઈ તેઓ બહું ખુશ હતા
પાયલટે લેન્ડિંગ પહેલા આકાશમાં 2 ચક્કર લગાવ્યા હતા
પાયલટે વિમાનને બચાવવા છેલ્લી ઘડી સુધી સંપૂર્ણ પ્રયાસ કર્યા હતા
ઘટનામાં જીવ ગુમાવનાર પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે અને કો પાયલટ અખિલેશ કુમાર હતા. વાયુસેનાના અધિકારી સાઠેએ છેલ્લા સમય સુધી વિમાનને બચાવવાના સંપૂર્ણ પ્રયાસ કર્યા હતા. 1981માં વાયુસેનામાં ભરતી થયેલા સાઠે 2003માં સ્કોડ્રોન લીડર રુપે રિટાયર થયા હતા. તેમણે એનડીએમાં સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાઠે બોઈંગ 737પણ ઉડાવી ચૂક્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ પાયલટે લેન્ડિંગ પહેલા આકાશમાં 2 ચક્કર લગાવ્યા હતા. પાયલટે વિમાનને બચાવવા છેલ્લી ઘડી સુધી સંપૂર્ણ પ્રયાસ કર્યા હતા. અંતે વિમાનને ઉતારવું પડ્યુ હતું. ભારે વરસાદને કારણે વિમાન સ્લીપ થયુ હતું. જેથી દુર્ઘટના ઘટી હતી. ઉલ્લેખનીય છે કે ઉડ્ડયન નિયામકે કહ્યુ કે આ રનવે પર રબરનો ભરાવો હોવાથી લેન્ડિંગ માટે ખતરનાક છે.
કોરોનાને લીધે દુબઈમાં ફસાયેલા ભારતીઓને સાઠે લઈને પરત ફર્યા હતા. ઘણા લાંબા સમય બાત તેઓ વતન પાછા ફરી રહ્યા હોઈ તેઓ બહું ખુશ હતા. પણ તેમને ક્યાં ખબર હતી કે પરિવાર તેમની રાહ જોતો રહેશે અને તેમને કાળ ભરખી જશે. આ ઘટનાથી ન ફક્ત તેમના કે મુસાફરોના પરિવારજનો આઘાતમાં છે બલ્કે આખો દેશ એક કુશળ પાયલટ અને મુસાફરોના જીવની હાનિને લીધે આઘાતમાં સરી પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વિમાન રનવે પર લપસ્યું હતું અને ત્યારબાદ 35 ફૂટ ઉંડી ખીણમાં જઈને પડતા આ ઘટના ઘટી હતી. ક્રેશ થયેલ દુબઈ-કોઝિકોડે ફ્લાઇટ X1344 બી બોઇંગ 737 વિમાન છે. આ વિમાનમાં કુલ 190 મુસાફરો હતા. જેમાં 183 મુસાફરો બે પાયલોટ અને 5 ક્રૂ મેમ્બર્સ સામેલ હતા.