કેરળમાં શુક્રવારે થયેલી મોટી પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સૂચના પર કેટલાક મુસાફરોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા તો કેટલાક પહોંચી રહ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે હવે ઇજાગ્રસ્તોને કોઇને મળવા નહીં દેવામાં આવે. જાણો શા માટે...
કેરળમાં વિમાન દુર્ઘટના
એક મૃત મુસાફરનો કોરોના પોઝિટિવ
ઇજાગ્રસ્તો પરિવારજનોને નહીં મળી શકે
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક મૃત મુસાફરનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઇજાગ્રસ્તોને તેના પરિવારજનોને મળવા નહીં દેવામાં આવે. એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયાના દાવા પર વિશ્વાસ કરીએ તો એર ઇન્ડિયા એક્સપ્રેસનું પ્લેન કોઝીકોડ એરપોર્ટ પર રનવેથી અંદાજિત 1000 મીટર પહેલા જ ટેક્સી વેની પાસે ટકરાયું હતું.
એક મૃતક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કેરળના કોઝિકોડમાં કરીપુર એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન લેન્ડિંગ કરતા સમયે લપસ્યું અને ખીણમાં જઇને પડ્યું હતું. આ દુર્ઘટનામાં પ્લેનના બે ભાગ થઇ ગયા હતા. એક મૃતક પ્રવાસીની તપાસમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી ગયો.
કેરળના સ્વાસ્થ્યમંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, 45 વર્ષના પ્રવાસી સુધીર વાયર્થનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો, તેઓ પોઝિટિવ આવ્યા છે. હવે એરપોર્ટમાં રેસ્ક્યૂ કાર્યમાં લાગેલા તમામ લોકોને સેલ્ફ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. તે તમામના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશનમાં જેટલા પણ લોકો સામેલ હતા તે તમામ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરે. તેમણે કહ્યું કે, એવા લોકો સ્વાસ્થ્ય વિભાગના 1056, 0471 2552056, કંટ્રોલ રૂમ-0483 2733251, 2733252, 2733253, 0495 2376063, 2371471, 2373901 હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરીને માહિતી આપી શકે છે જેથી તેમના સેમ્પલ લઇ શકાય.
પરિવારજનોને મળવાની નહીં મળે મંજૂરી
પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત લોકોને પરિવારજનો પર હવે વધુ મુશ્કેલી આવી પડી છે. તેમના પરિવારજનોને કોરોના વાયરસના ડરથી અલગ રાખવામાં આવશે. તેમણે મળવાની મંજૂરી નહીં અપાય. તમામ ઇજાગ્રસ્તોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે અને તેમને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મલપ્પુરમ કલેક્ટરે પુષ્ટિ કરી કે 149 પ્રવાસીઓને મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા, જેમાંથી 22ની હાલત ગંભીર છે, જ્યારે 22 અન્યને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવશે.