લોકસભાનાં ત્રીજા ચરણ માટે ચૂંટણી યોજાઇ રહી છે. એવામાં કેરલમાં અલગ-અલગ પોલિંગ બૂથોં પર સાત લોકોનાં મરવાનાં સમાચાર સામે આવ્યાં છે. જેમાં એક વ્યક્તિને તો વોટર લિસ્ટમાં પોતાનું નામ જ ગાયબ થયેલું જાણતા તેને તો હાર્ટ અટેક આવી ગયો.
બીજી બાજુ અન્ય એક વ્યક્તિ મરાર વેણુગોપાલ વોટ નાખીને પોતાને ઘર પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત નિપજ્યું. 65 વર્ષનાં વિજયની કન્નૂર જિલ્લામાં ચોકલી રામવિલાસમ પોલિંગ બૂથ બહાર 66 વર્ષનાં ચાકો મથાઇની પતનમથિટ્ટા જિલ્લાનાં પેજુમપરામાં અને થ્રેસ્ય કુટ્ટીનાં એર્ણાકુલમમાં મોત થઇ ગયું.
આ સિવાય મરનારાઓમાં કોલ્લમ કિલિકોલ્લુર સ્કૂલ પોલિંગ બૂથ પર વોટ કરવા આવેલ મણિ, તાલિપરંબાનાં રહેનાર વેણુગોપાલ મરાર, વાયનાડ આદિવાસી કૉલોનીનાં બાલન અને માવેલિક્કારાનાં પ્રભાકરન શામેલ છે.
મણિનું મોત તે જ સમયે થઇ ગયું કે જ્યારે તેને ખ્યાલ આવ્યો કે વોટર લિસ્ટમાં તેમનું નામ નથી. આ સિવાય અલપ્પુઝામાં એક પોલિંગ બુથ પર પોલિંગ ઓફિસરને પણ આંચકા આવવા લાગ્યાં કે જ્યાર બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં.
તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2019ને માટે ત્રીજા ચરણનાં મતદાન મંગળવારનાં રોજ થઇ રહેલ છે. ત્રીજા ચરણમાં કુલ 117 સીટોં માટે મતદાન થવાનું છે કે જેમાં કેરલની તમામ 20 સીટોં માટે ચૂંટણી યોજાવાની છે.