ચીનમાં કહેર મચાવી રહેલો કોરોના વાયરસે હાલમાં જ કેરળમાં પહેલા મામલા સાથે આગમન કરી દીધું હતું. પરંતુ હવે રાજ્યમાં કોરોના વાયરસને લઇને ત્રીજા મામલાને પુષ્ટી આપવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસનો વધુ એક કેસ
કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો કેસ નોંધાયો
દર્દીએ ચીનના વુહાન શહેરનો કર્યો હતો પ્રવાસ
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું છે કે કસારગોડના કંજગઢ જિલ્લાની હોસ્પિટલમાં દર્દીનો ઇલાજ ચાલી રહ્યો છે અને હાલમાં સ્થિતિ સ્થિર છે. પીડિત શખ્સ હાલમાં જ ચીનના વૂહાનથી પરત ફર્યો હતો.
જો કે કોરોના વાયરસનો ત્રીજો કેસ પોઝીટીવ આવ્યાં છતાં પણ સ્વાસ્થ્ય મંત્રી કહી રહ્યાં છે કે કોઇપણે ગભરાવાની જરૂર નથી. બે વર્ષ ફેલાયેલા નિપાહ વાયરસની જેમ આ વાયરસને પણ કાબૂમાં લઇ લેવામાં આવશે. 2018માં નિપાહ વાયરસના કારણે રાજ્યમાં 17 લોકોનાં મોત નિપજ્યાં હતા.
Kerala Health Minister KK Shailaja: The patient is under treatment at the Kanjangad District Hospital in Kasaragod. The patient's condition is stable. The patient had returned from Wuhan, China. https://t.co/6id9X57sEq
ચીનના સ્થાનિક સ્વાસ્થ્ય આયોગ દ્વારા સોમવારે આ અંગેની જાણકારી આપતાં જણાવ્યું કે હુબેઇ પ્રાંતમાં કોરોના વાયરસને લઇને રવિવારે 56 લોકોનાં મોત થયા છે. જો કે અત્યાર સુધીમાં મૃતાંકનો આંકડો 350 સુધી પહોંચી ગયો છે.
ચીનનના વૂહાનથી ફેલાય રહેલો કોરોના વાયરે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતે કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન શહેરમાંથી રવિવારે 323 ભારતીયો અને માલદીવના સાત નાગરિકોને લઇને એર ઇન્ડિયાનું બીજુ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં ત્યાંથી 654 લોકોને ભારત લાવવામાં આવી ચૂક્યાં છે.