કેરળની કોરોનાથી બગડી રહેલી પરિસ્થિતિને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે લોકડાઉનની ભલામણ કરી છે.
કેરળમાં કોરોનાથી સ્થિતિ બગડી રહી છે
દરરોજ 30,000 થી વધારે કેસો આવી રહ્યાં છે
બગડતી સ્થિતિને કાબુમાં લેવા લોકડાઉનની ભલામણ
કેરળમાં ત્રીજી લહેર શરુ થઈ હોવાનું અનુમાન
છેલ્લા ઘણા દિવસથી કેરળમાં 30,000 થી વધારે કોરોનાના કેસો આવી રહ્યાં છે. ત્રીજી લહેર કેરળમાંથી શરુ થઈ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. છેલ્લા 15 દિવસથી જે ગતિએ કેરળમાં કોરોનાના કેસો આવી રહ્યાં છે તેનાથી આખા દેશની ચિંતા વધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ટોચના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બગડી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કેરળમાં રણનીતિ હેઠળ લોકડાઉન લગાડવાનું જરુરી ગણાવાયું છે.
લોકડાઉનથી જ કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે-સૂત્રો
સૂત્રોએ જણાવ્યું કે જો કકડ લોકડાઉન અને કડક કન્ટેનમેન્ટના નિયમો અપનાવવામાં આવે તો સપ્ટેમ્બરના મધ્ય સુધી કેરળમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે છે. આ રીતે લોકડાઉન જિલ્લા સ્તરે નહીં પરંતુ મોહલ્લા અને કસ્બામાં લગાડવામાં આવે તેવી ભલામણ કરાઈ છે. જે વિસ્તારમાં સૌથી વધારે પોઝિટીવ છે ત્યાં પણ લોકડાઉનની ભલામણ કરાઈ છે.
કેરળમાં 85 ટકા કોરોનાના દર્દીઓ હોમ આઈસોલેશનમાં
કેરળમાં 85 ટકા કોરોનાના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે પરંતુ આ દર્દીઓની જેટલા પ્રમાણમાં દેખરેખ થવી જોઈએ તેટલા પ્રમાણમાં થતી નથી. તેને કારણે કેસો વધી રહ્યાં છે કારણ કે આ લોકો સતત બહાર ફરી રહ્યાં છે અને લોકોની વચ્ચે સંક્રમણ ફેલાવી રહ્યાં છે.