વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ યાત્રા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના પ્રવાસે છે. પીએમ મોદીએ ત્રિસૂરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કર્યું. આ અગાઉ પીએમ મોદીએ અહીના પ્રસિધ્ધ ગુરૂવાયૂર મંદિરમાં જઇને વિશેષ પુજા કરી.
ત્યારબાદ પરંપરા મુજબ કમળના ફૂલોથી પીએમ મોદીની તુલાભારમ વિધિ કરવામાં આવી. પીએમ મોદી અહીંના પારંપરિક વેશ-ભૂષા મુંડૂના પહેરવેશમાં જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કરતાં કહ્યું કે દેશમાં ચૂંટણી જીત્યા બાદ 130 કરોડ નાગરિકોની વિશેષ જવાબદારી હોય છે. જે અમને જીતાડે છે તેઓ અમારા છે, અને જેઓ આ વખતે અમને જીતાડવામાં રહી ગયાં તેઓ પણ અમારા છે.
પીએમ મોદી કહ્યું કે અમે ભાજપના કાર્યકર્તાઓ માત્ર ચૂંટણી રાજનીતિ માટે ચૂંટણી મેદાનમાં નથી હોતા. અમે 365 દિવસ અમારા રાજનીતિક ચિંતનના આધારે જનસેવામાં જોડાયેલા રહીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે દેશના ગરીબોને પોતાના ઘરનું વેચાણ ન કરવું પડે એટલે અમે 5 લાખ સુધીની સુવિધા આપી રહ્યાં છીએ, પરંતુ કેરળના લોકોને આ સુવિધા મળતી નથી. કારણ કે અહીની સરકારે આ સુવિધા લાગુ કરવાની મનાઇ કરી દીધી છે.
જનસેવક જનતાની સેવા માટે સમર્પિત છે. જનતા-જનાર્દન ઇશ્વરનું સ્વરૂપ હોય છે. ગત દિવસોમાં લોકતંત્રના મહાઉત્સવમાં આપે જે યોગદાન કર્યું તેના માટે હું આપનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરુ છું. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે ગુરૂવયરૂના ચરણોમાં આવવાથી વિશેષ અનૂભૂતિનો અહેસાસ થાય છે.
હું મંદિર પ્રશાસન, ભાજપ કાર્યર્કતા અને અહીના દરેક નાગરીકોનો હાર્દિક આભાર વ્યક્ત કરુ છું કે તમે મને ઉત્તમ પૂજા પાઠ કરવાની તક આપી અને આટલું સન્માન કર્યું.