બંધારણ પર વિવાદાસ્પદ ટીપ્પણીના એક દિવસ બાદ કેરળના મંત્રી સાજી ચેરિયને રાજ્ય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે.
કેરળના પશુપાલન મંત્રી સાજી ચેરિયનનું રાજીનામું
પિનારાઈ વિજયન સરકારમાંથી આપ્યું રાજીનામું
બંધારણ પર કરી હતી વિવાદાસ્પદ ટીપ્પણી
કહ્યું હતું કે બંધારણ લોકોને લૂંટવા માટે છે
વિપક્ષોએ ભારે વાંધો ઉઠાવવો પડ્યો હતો
ભારતના મહાન બંધારણ પર વાંધાજનક નિવેદન આપવાને કારણે થયેલા ઉગ્ર વિરોધને પગલે કેરળના મંત્રી સાજી ચેરિયને રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામાની જાહેરાત કરતા ચેરિયને કહ્યું કે મેં અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. મેં કદી પણ બંધારણનો અનાદર કર્યો નથી. મારા ભાષણનો એક ખાસ ભાગ લેવામાં આવ્યો હતો અને મીડિયાને તેનું ખોટું અર્થઘટન કરી નાખ્યું. તેમને હેતુ CPIM અને LDF સરકારને નબળી પાડવાનો છે.
શું બોલ્યાં હતા મંત્રી ચેરિયન
સાજી ચેરિયને દેશના બંધારણ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે બંધારણની ટીકા કરતાં કહ્યું છે કે, તેમનું શોષણ કરનારાઓને માફ કરી દે છે. તેમણે કહ્યું કે બંધારણને એવી રીતે લખવામાં આવ્યું છે કે દેશના વધુને વધુ લોકોને લૂંટી શકાય.
દેશની જનતાને લૂંટવા માટે આ એક સુંદર બંધારણ- ચેરિયન
ચેરીયને આ કાર્યક્રમમાં કહ્યું, "શોષણ માનવતાની શરૂઆતથી અસ્તિત્વમાં છે. વર્તમાન સમયમાં શ્રીમંત લોકો દુનિયા પર વિજય મેળવી રહ્યા છે. સરકારી તંત્ર આ પ્રક્રિયાની તરફેણમાં હોય તે સ્વાભાવિક છે. દરેક જણ કહેશે કે અમારી પાસે શ્રેષ્ઠ રીતે બંધારણ લખાયેલું છે પરંતુ હું કહીશ કે દેશનું બંધારણ એવી રીતે લખાયું છે કે વધુને વધુ લોકોને લૂંટી શકાય." ચેરિયને વધુમાં જણાવ્યું હતું કે અંગ્રેજો દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું હતું તે ભારતીયોએ લખ્યું છે. હું કહીશ કે દેશની જનતાને લૂંટવા માટે આ એક સુંદર બંધારણ છે. જોકે બંધારણમાં લોકશાહી અને ધર્મનિરપેક્ષતા જેવી કેટલીક સારી બાબતોના અંશ પણ છે, પરંતુ તેનો હેતુ સામાન્ય માણસનું શોષણ કરવાનો છે.
Kerala | I have resigned and it's my personal decision. I have never ever defamed the Constitution. A particular part from the speech was taken and the media fabricated it to weaken the CPIM and the LDF: Saji Cheriyan
મંત્રીને બરખાસ્ત કરવાની વિપક્ષે કરી હતી માગ
કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વી.ડી. સતીસન સહિત ઘણા નેતાએ ચેરિયનના આ નિવેદનની ટીકા કરી હતી. . વી.ડી. સતીસને કહ્યું કે જો સીએમ વિજયન ચેરિયન સામે કાર્યવાહી નહીં કરે, તો અમે કાયદાનો આશરો લઈશું. ભાજપના કેજે આલ્ફોન્સે ચેરીયનના "ગેરબંધારણીય" નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કેરળના કેબિનેટ પ્રધાન, લોકોના પ્રતિનિધિ હોવાને કારણે, બંધારણની રક્ષા માટે શપથ લીધા હતા, તેમ છતાં તેઓ બંધારણની મજાક ઉડાવી રહ્યા હતા. ઠીક નથી. મુખ્ય પ્રધાન પિનરાય વિજયને તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ અથવા રાજ્યપાલને મુખ્યમંત્રીને ભલામણ કરવી જોઈએ કે તેઓ તેમના પ્રધાનને બરતરફ કરે.