કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું કે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે રાજ્યના તટિય એટલે કે કાંઠા વિસ્તારોમાં 18 જુલાઈ એટલે કે આજથી લૉકડાઉન લાગૂ કરાશે. તેઓએ કહ્યું કે અમે નવા ચરણ તરફ આગળ વધી રહ્યા છે જેમાં વધારે પ્રતિબંધ રહેશે અને સાથે બીમારીનો પ્રકોપ પણ ગંભીર છે. કેરળના મુખ્યમંત્રી વિજયનને શુક્રવારે કહ્યું કે આજથી તટિય વિસ્તારોમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવામાં આવશે.
કેરળમાં કોરોના વાયરસના 791 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે મહામારીના કારણે 11,066 કેસ નોંધાતા મુખ્યમંત્રી વિજયનને કહ્યું કે તિરુવનંતપુરમની બે તટિય વસ્તી પૂંથુરા અને પુલ્લુવિલામાં સામુદાયિક સંક્રમણ વધ્યું છે. સ્થિતિ બેકાબૂ બની રહી છે જેની પર કાબૂ મેળવવા આજથી અહીં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરાશે. તેઓએ કહ્યું કે જે નવા કેસ આવ્યા છે તેમાંથી 532 લોકો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છએ. જ્યારે 133 લોકો સાજા થયા છે. હજુ પણ 6029 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
વધતા કેસ અંગે મુખ્યમંત્રીએ કરી આ વાત
મુખ્યમંત્રીએ કહ્યું કે નવા દર્દીઓમાં 135 વિદેશના છે જ્યારે 198 અન્ય રાજ્યોથી આવ્યા છે. 42 લોકોમાં સંક્રમણ કઈ રીતે પહોંચ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. જિલ્લામાં 246 નવા દર્દીઓ સામે આવ્યા છે. તેમાંથી 2 વિદેશથી આવ્યા છે અને 237 વ્યક્તિઓ સંક્રમિતના સંપર્કમાં આવવાથી પોઝિટિવ થયા છે. આ કારણે આજથી તિરુવનંતપુરમના કાંઠા વિસ્તારોમાં સંક્રમણ ઘટાડવા આ નિર્ણય લેવાયો છે.