કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસથી 16 લોકોના મોત થઇ ચૂક્યા છે. આ આંકડા એક સ્થાનિય મીડિયા તરફથી આપવામાં આવ્યો છે. મૃતકોમાં એક જ પરિવારના 4 લોકો અને સારવાર કરતી એક નર્સ શામેલ છે. ચાર લોકોની સ્થિતિ ગંભીર છે. 25 લોકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જોકે કેરળ રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રીએ માત્ર 3 લોકોના મૃત્યુની પૃષ્ટિ કરી છે. આ દરમિયાન પુના વાયરોલોજી સંસ્થાએ લોહીના ત્રણ નમૂનામાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરી છે. કેરળ સરકારની દરખાસ્તને ધ્યાનમાં લઈ NCDCની ટીમ કેરળ પહોંચી છે.
પ્રભાવિત વિસ્તારમાં તપાસ કરશે NCDCની ટીમ:
નેશનલ સ્ટોર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ની ટીમ કેરળના પ્રભાવિત વિસ્તારમાં તપાસ કરશે. ન્ડિયન મેડિકલ એસોસિએશને આ સંબંધે એક કમિટી ગઠિત કરી છે. જે બીમારી કઈ રીતે થાય છે તેના ડેટા મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત વાયરસની ઝપેટમાં વધુ લોકો ન આવે તે અંગેના ઉપાયો પણ કરવામાં આવી રહ્યાં છે.
શું છે નિપાહ વાયરસ?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર નિપાહ વાયરસ ચીમડિયામાંથી ફળમાં અને ફળોમાંથી મનુષ્ય તેમજ જાનવરોમાં આક્રમણ કરે છે. 1998માં પહેલી વખત મલેશિયાના કાંપુંગ સુંગઇ નિપાહમાં આ અંગેના કેસ સામે આવ્યાં હતા. અને તેથી જ તેને નિપાહ વાયરસ નામ આપવામાં આવ્યું છે. પહેલાં તેની અસર ભુંડમાં જોવા મળી હતી. 2004માં આ બાંગ્લાદેશમાં આ વાયરસના પ્રકાપના મામલા સામે આવ્યા હતા. કહેવાઇ રહ્યુ છે કે કેરળમાં પહેલી વખત આ વાયરસની અસર જોવા મળી રહી છે.
શ્વાસ લેવામાં પડે છે મુશ્કેલી:
આ વાયરસથી પ્રભાવિત વ્યકિતને શ્વાસ લેવામાં પરેશાની પડે છે અને પછી મગજમાં જલન અનુભવાય છે. યોગ્ય સમયે જો સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે.
કોઈ વેક્સિન નથી:
આ વાયરસની હજુ સુધી કોઈ જ વેક્સિન નથી. આનાથી પ્રભાવિત શખ્સને ICUમાં રાખીને ઈલાજ કરાવવામાં આવે છે.
ઝાડ પરથી પડેલા વૃક્ષો ન ખાવા જોઇએ:
આ બિમારી બચવા માટે ફળો અને ખાસ કરીને ખજૂર ખાવાથી બચવું જોઇએ. ઝાડ પરથી પડેલાં ફળોને ન ખાવા જોઈએ. બીમાર ભુંડ અને બીજા જાનવરોથી દૂર રહેવું જોઈએ.