કેરળમાં પ્લેન ક્રેશમાં પાયલટ દિપક વસંત સાઠે પણ માર્ય ગયા છે. ત્યારે દિપક વસંત સાઠેનો ગુજરાત સાથે અતુટ નાતો હતો. પ્લેનમાં બેઠેલા યાત્રીકોને બચાવવા પાયલટની સૂઝબુઝ ગજબ કામ આવી હતી ત્યારે આજે તેમને દિલથી સલામ કર્યા વગર રહી ન શકાય. આવો જાણીએ કે દિપક સાઠેનો ગુજરાત સાથે શું નાતો છે.
ભૂજ એરફોર્સમાં 3 વર્ષ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી
રિટાયરમેન્ટ લીધા બાદ તેઓ એર ઈન્ડિયામાં જોડાયા
2001માં કચ્છ ભૂકંપમાં પણ પોતાની સેવા આપી હતી
કેરળ ના વિમાન અકસ્માતમાં બે પાયલટ સહિત 19 લોકોના મોત નિપજ્યા છે. જેમાં પાયલટ દીપક સાઠે પણ સામેલ હતા. પણ, દીપક સાઠેનો ગુજરાત સાથે પણ જૂનો નાતો રહ્યો છે.
રિટાયરમેન્ટ લીધા બાદ તેઓ એર ઈન્ડિયામાં જોડાયા
પાયલટ દિપક સાઠેએ ભૂજ એરફોર્સમાં 3 વર્ષ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. 3 વર્ષ કચ્છમાં સેવા આપ્યા બાદ તેઓ રિટાયર્ડ થયા હતા. દીપક સાઠેએ પોતાની રિટાયરમેન્ટ ના અંતિમ ત્રણ વર્ષ ભૂજ એરફોર્સમાં કામ કર્યું હતું. તેઓ 2001 થી 2004 દરમિયાન તેઓ ભૂજમાં હતા. જેના બાદ તેઓ રિટાયર્ડ થયા હતા. રિટાયરમેન્ટ લીધા બાદ તેઓ એર ઈન્ડિયામાં જોડાયા હતા.
દીપક સાઠેએ 2001માં કચ્છ ભૂકંપમાં પણ પોતાની સેવા આપી હતી. સમગ્ર ભૂજમાં તેઓએ બચાવ કામગીરી કરી હતી. જેને ગુજરાત ક્યારેય નહિ ભૂલે. પાયલટની તાલીમ તેમણે હૈદરાબાદ એકેડમીમાંથી લીધી હતી અને તેમણે વાયુસેના તેમજ એરઈન્ડિયામાં કામ કર્યુ છે.