કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશભરમાં ઘણા રાજ્યોમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત છે. પૂરના કારણે 100 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે રવિવારે કેરળમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી આશંકા વ્યક્ત કરી છે. તો બીજી બાજુ ગૃહમંત્રી આજે કર્ણાટકથી બેલગાવીની મુલાકાત કરશે. તો રાહુલ ગાંધી પોતાના સસંદીય ક્ષેત્ર વાયનાડ જશે.
કેરળમાં ભૂસ્ખલન બાદ 9 મૃતદેહ મળી આવ્યા છે. 8 ઓગસ્ટે મલપ્પુર જિલ્લાના નીલાંબુપના કવલપ્પરામાં થયેલા ભૂસ્ખલનની ઘટનામાં અત્યાર સુધી 8 મૃતદેહ મળી આવ્યા છે.
Kerala: 9 bodies have been recovered so far in the incident of landslide that occurred at Kavalappara, Nilambur in Malappuram district on August 8.
ગુજરાતમાં વરસાદ અને પૂરથી હાહાકાર મચી ગયો છે. આ વચ્ચે ગુજરાત પોલીસના એક કોન્સ્ટેબલે વરસાદમાં ફસાયેલા બાળકોને બચાવ્યા હોવાનો ફોટો સામે આવ્યો છે. કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ જાડેજા બે બાળકીઓને પોતાના ખભા પર બેસાડીને એમને સુરક્ષિત જગ્યા પર લઇ જઇ રહ્યા છે. આ ઙટના મોરબીના ટંકારાની છે. જાણવા મળી રહ્યું છે કે કલ્યાણપુરની ક્સતૂરબા ગાંધી સ્કૂલમાં ભણવા ગયેલા બાળકો 5 કલાક સતત થયેલા વરસાદ બાદ ફસાઇ ગઇ હતી. ફસાઇ ગયેલા બાળકોને એનડીઆરએફની ટીમ સુરક્ષિત જગ્યા પર નિકાળ્યા હતા.
કેરળમાં વરસાદથી રેલ સેવા પ્રભાવિત થઇ છે, ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
Due to flooding, land slides and trees & boulders falling on railway tracks caused by heavy rains, and consequent disruption of rail traffic, following changes have been made in train services in #Kerala. pic.twitter.com/QU44G6Kn2O
કર્ણાટકમાં પૂરના કારણે ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનના કારણે સકલેશપુર અને સુબ્રમણ્ય સ્ટેશન પર ટ્રેનોની અવર જવર પર અસર થઇ છે.
Karnataka: Rail transport on the section between Sakleshpur and Subramanya stations has been affected adversely due to landslides and soil erosion on multiple spots. #KarnatakaRains (10.8.19) pic.twitter.com/b6uVEOtwGC
ગૃહમંત્રી આજે કર્ણાટકના બેલગાવી ક્ષેત્રમાં મુલાકાત કરશે. કર્ણાટક રાજ્ય પૂરના કારણે પૂરી રીતે પ્રભાવિત છે.
Union Home Minister Amit Shah will do an aerial survey of the flood affected areas of Belagavi district, Karnataka today. (File pic) pic.twitter.com/upkFiMc7jB
કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ ભારે વરસાદ અને પૂરની ચપેટમાં છે. કેરળમાં 10 ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે. કેરળમાં ઘણી જગ્યાઓ પર રેલવે ટ્રેક પાણીમાં ડૂબેલા છે. મલપ્પુરમ જિલ્લાના થિરુનાવયા સ્ટેશન પર રેલવે ટ્રેક પાણીમાં ડૂબવાથી રેલ સેવા પ્રભાવિત છે.