હાલ વરસાદી સિઝન ચાલી રહી છે, ત્યારે આવા સમયે રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા જોવા મળે છે, જેના કારણે ઘણી વખત ગંભીર દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે, આવો જ એક કિસ્સો કેરલમાંથી સામે આવ્યો છે.
કેરળ હાઈકોર્ટનો મોટો નિર્ણય
રસ્તા પર પડેલા ખાડા માટે કલેક્ટરને જવાબદાર ઠેરવવામાં આવશે
આ કેસને લઈને થઈ હતી સુનાવણી
કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે, ખાડાના કારણે થતાં રોડ અકસ્માત માટે જિલ્લા કલેક્ટર જવાબદાર રહેશે. કોર્ટે એક આદેશમાં કહ્યું છે કે, તેને રોકવા માટે ડીએમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેનને દરેક રોડનું નિરીક્ષણ કરવાના નિર્દેશ આપવા જોઈએ.
જસ્ટિસ દેવન રામચંદ્રને એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, આવી દુર્ઘટનાઓ રોકવા માટે ભારત સરકાર અને ખાસ કરીને સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની વિશેષ ભૂમિકા છે. કોઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર દુર્ઘટનામાં ઘાયલ થાય છે અથવા તો મૃત્યુ પામે છે, તો તેને સંવૈધાનિક અત્યાચાર માનવો જોઈએ. કોર્ટે આ સંબંધમાં કેન્દ્ર સરકારને પોતાનું મત રજૂ કરવાના નિર્દેશ પણ આપ્યા છે.
ભ્રષ્ટ કોઈ અને મરે છે કોઈ અન્ય
કોર્ટે કહ્યું કે, મોટા ભાગના કેસોમાં જોવામાં આવ્યું છે કે, ખરાબ રસ્તા પાછળ મુખ્ય કારણ ભ્રષ્ટાચાર અથવા લાપરવાહી છે. જો કોઈ ભ્રષ્ટ છે, તો કોઈ અન્ય મરે છે. હું આવું નહીં થવા દઉં.
શા માટે આપ્યો આ ચુકાદો
રોડ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોની વચ્ચે મોટા ભાગે વિવાદો બની રહેતા હોય છે. બંને સરકાર દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવાની જગ્યાએ મોટા ભાગના ક્ષેત્રને લઈને લડતા રહે છએ. આવો જ એક કિસ્સો કેરલ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં એર્નાકુલમ જિલ્લાના નેંદુબસ્સેરી નેશનલ હાઈવે પર ખાડાના કારણે 52 વર્ષિય પરદૂર નિવાસી હાશિમનું મોત થઈ ગયું હતું. અંગમાલી-એડાપલ્લી રોડ નજીક નેશનલ હાઈવે પર આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં સ્કૂટર પર સવાર શખ્સ ખાડામાં પડ્યા બાદ એક ટ્રકે તેમને કચડી નાખ્યા હતા.
આ દુર્ઘટના બાદ કેરલ લોક નિર્માણ વિભાગ અને પર્યટન મંત્રી મોહમ્મદ રિયાસે કહ્યું કે, નેશનલ હાઈવે પર ખાડા માટે કોન્ટ્રાક્ટર જવાબ છે. તેમણે કહ્યું કે, આ પ્રકારે કોન્ટ્રાક્ટર પર PWDએ કડક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારને પણ આવા કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યું કે, નેશનલ હાઈવેની સમસ્યાઓમાં PWD ઈંટરફેયર નથી કરી શકતા. જો PWD આ પ્રકારે પગલા ઉઠાવે છે તો, તે સંઘીય કાયદાનું ઉલ્લંઘન થશે. આમ તો કોન્ટ્રાક્ટર, જે કાયદાનું ઉલ્લંધન કરે છે, તેને બ્લેક લિસ્ટ કરી દેવા જોઈએ અને તેમના નામ અને નંબર સાર્વજનિક કરવા જોઈએ. તેમણે પૂછ્યું કે, કેન્દ્ર સરકાર આ પ્રકારે કોન્ટ્રાક્ટરોને કેમ બચાવી રહી છે. તેમણે કહ્યું કે, પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે, જો કે આ મામલે કેન્દ્રએ હજૂ સુધી મૌન ધારણ કર્યું છે.