આ નવા વિધાનને અને સમાચારને સમજવા માટે પહેલા તમને એક વાર્તા સ્વરૂપ રજૂઆત કરશું. અહી વાર્તામાં એક યુવતી છે જેણે પહેલાથી એક પરણિત યુવક પર બળાત્કારનો કેસ કર્યો હતો. બન્યું એવું કે એક 33 વર્ષીય વ્યક્તિએ લગ્નનું ખોટું વચન (IPC સેક્શન-420 અને સેક્શન-406) અને બળાત્કાર (IPC સેક્શન-376)ના આરોપોને રદ કરવા માટે કેરળ હાઈકોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરી હતી. જ્યારે હાઈકોર્ટે આ મામલાની સુનાવણી કરી તો ઘણા પાસાઓ સામે આવ્યા અને પછી મોટો નિર્ણય આપ્યો.
ફરિયાદીના આક્ષેપોને નકારી કાઢ્યા
કેસની સુનાવણી દરમિયાન જાણવા મળ્યું હતું કે છોકરા (અરજીકર્તા) સાથે સંબંધ ધરાવતી છોકરી (ફરિયાદી) પહેલાથી જ જાણતી હતી કે તે પરિણીત છે. બંને એકબીજાને 2010થી ઓળખતા હતા. તેને 2013 માં છોકરાના લગ્ન વિશે ખબર પડી, ત્યારબાદ પણ બંનેએ તેમના સંબંધો ચાલુ રાખ્યા. બંને વચ્ચેનો સંબંધ છોકરાના લગ્ન પહેલા હતો જે પછી પણ ચાલુ રહ્યો. છોકરાના છૂટાછેડા થયા પછી પણ બંને વચ્ચેના સંબંધો ચાલુ રહ્યા. આવા સંજોગોમાં છોકરા સામે લગ્નનું ખોટું વચન આપીને સંબંધ બાંધ્યાનો આક્ષેપ બનતો નથી. આ ફરિયાદી દ્વારા કરાયેલા આક્ષેપોને નકારી કાઢે છે.
આ ઘટના માત્ર 'લવ અને પેશન'
આ પછી હાઈકોર્ટે પણ બંને લોકો વચ્ચેના શારીરિક સંબંધો અંગે પોતાની ટિપ્પણી કરી હતી. કેરળ હાઈકોર્ટે કહ્યું કે આરોપી અને ફરિયાદી વચ્ચેનો સંબંધ કેવળ તમારી સંમતિથી બનેલો સંબંધ છે. આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં ક્યાંય એ વાત સામે આવી નથી કે આરોપી (છોકરો) એ છોકરી સાથે ક્યારે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેમજ તેણે યુવતીને છેતરવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવતું નથી. આવી સ્થિતિમાં, આ સમયગાળા દરમિયાન બનેલા સંબંધોને બળાત્કારના દાયરામાં ન રાખી શકાય, પરંતુ તે માત્ર 'લવ એન્ડ પેશન'ની બાબત છે.