કેરલ હાઈકોર્ટે શુક્રવારે કેરલના એક વિસ્તારમાં નવી મસ્જિદ બનાવવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી.
કેરલ હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી થઈ હતી
હાઈકોર્ટ કોમર્શિયલ બિલ્ડીંગને મસ્જિદમાં ફેરવવાની ના પાડી દીધી
હાઈકોર્ટે સુનાવણી કરતા આ વાત કહી
કેરલ હાઈકોર્ટે શુક્રવારે કેરલના એક વિસ્તારમાં નવી મસ્જિદ બનાવવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. કોર્ટે આ મામલામાં કહ્યુ કે, રાજ્યમાં પહેલાથી જ કેટલાય ધાર્મિક સ્થળ છે, જે રાજ્યની વસ્તીના હિસાબે ખૂબ વધારે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરલ હાઈકોર્ટમાં નુરુલ ઈસ્લામ સંસ્કારિકા સંગમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ રહી હતી. આ અરજીમાં એક કોમર્શિયલ બિલ્ડીંંગને મસ્જિદમાં બલવાની માગ કરી હતી. અરજીમાં દાવો કર્યો હતો કે, અહીં મસ્જિદ બન્યા બાદ તેની આસપાસના મુસાલમાન દિવસમાં પાંચ વાર નમાઝ અદા કરવા માટે મસ્જિદમાં આવી શકે છે.
આ અગાઉ કલેક્ટરે આ મામલાની તપાસ કરતા આ માગને ફગાવી દીધી હતી. કારણ કે, તપાસમાં સામે આવ્યું હતું કે, જે બિલ્ડીંગની જગ્યાએ મસ્જિદ બનાવાની વાત થઈ રહી છે, તેની આસપાસના 5 કિમીના વિસ્તારમાં 36 મસ્જિદ આવેલી હતી.
"God is there everywhere. If the Muslim community want to conduct their ‘prayers’ in the mosque itself, they can go to the nearest mosque instead of constructing a new prayer hall near to their residence"; Kerala HC While Denying Permission For A new #mosque
ન્યાયમૂર્તિ પીવી કુન્હીકૃષ્ણને આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે, અહીંની ભૌગોલિક સ્થિતિના કકારણે કેરલ રાજ્યને ભગવાનનો પોતાનો દેશ કહેવાય છે અને અહીં ધાર્મિક સ્થળોનું ભરેલુ છે.
હાઈકોર્ટ તરફથી કહેવાયુ હતું કે, કેરલમાં ધાર્મિક સંસ્થાઓ અને પ્રાર્થના ખંડની સંખ્યા વધારે છે. જો હિન્દુ, ઈસાઈ, મુસ્લિમ, યહૂદી, પારસી વગેરે દરેક ભક્ત પોતાની મકાન પાસે ધાર્મિક સ્થાન અને પ્રાર્થના કક્ષ બનાવાનું શરુ કરી દેશે, તો રાજ્યને સાંપ્રદાયિક વિદ્વેષ સહિત ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
ન્યાયમૂર્તિ પીવી કુન્હીકૃષ્ણનની બેન્ચે એવું પણ કહ્યું કે, આ મામલામાં ગુપ્ત રિપોર્ટ અને પોલીસ રિપોર્ટમાં કહેવાયુ છે કે, જો કોમર્શિયલ બિલ્ડીંગને ધાર્મિક પ્રાર્થના કક્ષમાં બદલવાની મંજૂરી આપવામાં આવશે, તો સાંપ્રદાયિક વિદ્રેષની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે, આ એક સંવેદનશીલ મુદ્દો છે.
એટલું જ નહીં જસ્ટિસે કુરાનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, કુરાનમાં ક્યાંય પણ નથી લખ્યું કે, વિસ્તારના દરેક શેરીના ખૂણા પર મુસ્લિમ સમુદાય માટે એક મસ્જિદ હોવી જોઈએ. કેરલ હાઈકોર્ટે કહ્યું કે, કુરાનની આયાત મુસ્લિમ સમુદાય માટે મસ્જિદના મહત્વને સ્પષ્ટપણે ઊજાગર કરે છે. પણ કુરાનની આયાતમાં એવું નથી કહેવાયુ કે, મસ્જિદ શેરીના દરેક ખૂણા પર હોવી જરુરી છે. હદીસ અથવા કુરાનમાં એવું પણ નથી કહેવાયુ કે, મસ્જિદ દરેક મુસ્લિમના ઘરની બાજૂમાં હોવી જોઈએ. અંતર કોઈ માપદંડ હોઈ શકે નહીં.