હેલ્થ એક્સપર્ટનું માનીએ તો કેરળમાં કોરોનાનો પીક ખતમ થઈ ગયો છે. આ જ કારણ છે કે ગત 4 દિવસથી દેશમાં કોરોનાના કેસની સંખ્યા 30 હજારથી વધારે નીચે નોંધાઈ રહી છે. કોરોનાના પીકમાં જ્યાં કેરળમાં રોજના 25થી 30 હજાર નવા કેસ મળતા હતા. ત્યાર આજે આની સંખ્યા અડધી થઈ ગઈ છે. મંગળવારે કેરળમાં કોરોનાના 15876 નવા કેસ નોંધાયા છે.
એમ્સના પ્રોફેસર ડો. સંજય રાયે કહ્યું કે તે 2-3 મહિનામાં કોરોના ફેલાયેલા ડેટાને જોતા ખબર પડે છે કેરળમાં કોરોનાનો પીક ખતમ થઈ ગયો છે અને આવતા 2 અઠવાડિયાની અંદર કેસોની સંખ્યામાં મોટો ઘટાડો નજરે આવવા લાગ્યો છે. ઉત્તર પૂર્વના રાજ્યોની જેમ કેરળમાં ઓક્ટોબરની શરુઆત સુધી કોરોનાના કેસમાં ઘટાડો શરુ થઈ જવો જોઈએ.
મોટી વસ્તી અતિસંવેદનશીલ હતી- સીરો સર્વે
તેમણે આગળ કહ્યું કે કેરળમાં પહેલા સીરો સર્વેક્ષણને ભલામણ કરી હતી કે મોટી વસ્તી અતિસંવેદનશીલ હતી પણ સીરો સર્વેમાં ખબર પડી છે કે 46 ટકામાં રસી અથવા સંક્રમણના કારણે એન્ટીબોડી હાજર છે. તેમણે કહ્યું કે રાજ્ય દ્વારા કરવામાં આવેલા નિયંત્રણ ઉપાયો ફક્ત વાયરસના પ્રસારને ધીમા કરી શકે છે.
એક દિવસમાં 30 હજારથી વધારે કોરોનાના કેસ મળ્યા હતા
સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન એક દિવસમાં 30 હજારથી વધારે કોરોનાના કેસ મળ્યા હતા. પણ હવે આ સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. મંગળવારે કેરળમાં 15,876 કેસ નોંધાયા. એ બાદ કુલ કેસની સંખ્યા 44,06,365 પહોંચી ગયા. કેરળના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં સક્રિય મામલાની સંખ્યા 2 લાખ (1,98,865) થી ઓછી છે. ત્યારે મંગળવારે સાજા થનારાની સંખ્યા 25, 654 રહી. આ રીતે કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 41, 84, 158 થઈ ગઈ.