ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વધી રહી છે ત્યારે કેરળમાં ફરી પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસના કેસો ફરી વધ્યા
કેરળમાં ફરીથી પ્રતિબંધોનો દોર
રાજ્યનાં મુખ્યમંત્રીએ નાઈટ કર્ફ્યૂના આપ્યા આદેશ
ભારતમાં કોરોના વાયરસનાં કેસોથી ઘણા બધા રાજ્યોમાં રાહત મળી છે પરંતુ દક્ષિણનાં રાજ્યો અને તેમાંય ખાસ કેરળમાં કોરોના કેસોની સંખ્યા રોકાઈ રહી નથી ત્યારે રાજ્યમાં ફરીથી પ્રતિબંધોનો દોર શરૂ કર્યો છે.
Of 1,67,497 samples tested today, 31,265 samples tested positive for #COVID19 and 153 deaths reported in the state: Kerala CM Pinarayi Vijayan
કેરળમાં ફરી નાઈટ કર્ફ્યૂ
કોરોના વાયરસના વધતાં ટેન્શનની વચ્ચે કેરળ સરકાર દ્વારા આખા રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યનાં મુખ્યમંત્રીએ શનિવારે નવા આદેશો જાહેર કરતાં કહ્યું કે હવેથી રાજ્યમાં રાત્રિનાં 10 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી લોકોને ઘરમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવે છે અને આ આદેશ સોમવારથી આખા રાજ્યમાં લાગુ કરી દેવામાં આવશે.
'કેરળ મોડલ'નું શું થયું?
ભારતમાં સૌથી વધારે કોરોના કેસ કેરળમાંથી જ સામે આવી રહ્યા છે. દેશમાં દરરોજ જેટલા કેસ સામે આવે છે તેમાંથી મોટા ભાગનાં કેસ માત્ર કેરળમાંથી જ સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે થોડા દિવસ પહેલા સુધી તો કેરળનાં જોરદાર વખાણ કરવામાં આવી રહ્યા હતા. કેરળનાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોરોના વાયરસ મહામારીને રોકવા માટે રાજ્યમાં ટેસ્ટિંગ વધારવાનાં આદેશ આપવામાં આવ્યા છે.
કેન્દ્રએ હાલમાં જ કહ્યું હતું નાઈટ કર્ફ્યૂ પર વિચાર કરો
નોંધનીય છે કે હાલમાં જ કેન્દ્ર સરકારે કેરળ અને મહારાષ્ટ્રને લઈને ચિંતા વ્યક્ત કરતાં આ રાજ્યોને નાઈટ કર્ફ્યૂ પર વિચાર કરવાના આદેશ આપ્યા હતા.
ભારતમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ
નોંધનીય છે કે ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસ મહામારીમાંથી થોડી રાહત મળી છે પરંતુ દક્ષિણનાં રાજ્યો જેમાં ખાસ કરીને કેરળમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં શનિવારે 46,759 નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે 31,374 દર્દીઓએ કોરોનાને મહાત પણ આપી છે, સાથે 509 લોકોની સંક્રમણનાં કારણે મોત થઈ છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ એક્શનમાં
કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના વાયરસનાં વધતાં પ્રભાવને રોકવા માટે પહેલાથી લાગુ નિયમોને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને તહેવારોની સીઝનમાં ભડ ભીડ એકત્ર ન થવા દેવાના આદેશ આપ્યા છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવશ્યકતા અનુસાર લૉકલ સ્તર પર પ્રતિબંધો લગાવવામાં આવે.