કન્નુરમાં થયેલા હોબાળાને લઈને કેરળના રાજ્યપાલ આરિફ મહમ્મદ ખાને એક ખાનગી ચેનલ સાથે સમગ્ર ઘટનાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યપાલનો કાર્યક્રમ એક કલાક કરતા વધારે સમયનો હોતો નથી, પરંતુ સમયનો નિયમ તોડીને દોઢ કલાક સુધી તેઓ બોલતા રહ્યા હતા. કાર્યક્રમમાં CAAના વિરુદ્ધ નિવેદન કરતા રહ્યા અને દેશના સંવિધાન ખતરામાં છે તેવા આરોપો મુકતા રહ્યા હતા. હું તેમની આ બધી વાતો શાંતિથી સાંભળતો રહ્યો.
સંવિધાનની રક્ષા કરવી મારી ફરજઃ રાજ્યપાલ
CAAનો દુષ્પ્રચાર કરતા હતા લોકોઃ રાજ્યપાલ
મેં પ્રજાને સાચી માહિતી આપી હતીઃ રાજ્યપાલ
વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે આ બધાને સંભળ્યા બાદ પોતાની વાત બોલવાની શરૂ કરી ત્યારે ઈતિહાસકાર ઈરફાન હબીબે મને રોકવાની કોશિશ કરી હતી. તેઓ મને રોકવા સ્ટેજ તરફ આગળ વધતા હતા ત્યારે મારા એડીસીએ તેમને રોક્યા ત્યારે ઈરફાને સુરક્ષાકર્મી સાથે ગેરવર્તણૂક કર્યું અને તેમની વર્ધી પર લાગેલા બેઝ તોડી નાંખ્યા હતા.
કન્નુર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર આ મામલે વચ્ચે પડ્યા
આરિફ મોહમ્મદ ખાને વધુમાં જણાવ્યું કે, આ મામલો ઉગ્ર થતા એડીસીએ ઇરફાનને રોક્યા, તો તે સોફાની પાછળથી મારી તરફ આગળ વધાવનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન કન્નૂર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર આ મામલે વચ્ચે પડ્યા હતા. સેના ન હોત તો ઇરફાન હબીબ મારો કૉલર ખેંચી લેત.
કેરળના રાજ્યપાલે કહ્યું- હંમેશાથી તેમાં અસહિષ્ણુતા રહી છે
વધુમાં રાજ્યપાલે આરોપ લગાવતા કહ્યું કે ઈરફાન હબીબનો શું ઈરાદો હતો તે જાણવું મુશ્કેલ છે. પરંતુ તેઓ મારી તરફ ગુસ્સામાં આગળ વધી રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર તમામ લોકો હાજર લોકોને CAA મામલે ખોટી માહિતી આપતા હતા. તેના કારણે મે હકીકત લોકો સમક્ષ મુકવાની શરૂ કરી તો તેમને અટકાવવામાં આવ્યા હતા.