કેરળ સરકારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવા અને બૂસ્ટર ડોઝ આપવા માટે કેન્દ્રને અપીલ કરી છે.
અન્ય રોગ પીડિતોને કોવિડ રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવે- કેરળ
કોવિશીલ્ડના બીજા ડોઝનું અંતર ઓછું કરવામાં આવે
કેરળે બૂસ્ટર ડોઝ પર કેન્દ્રને લખી ચિઠ્ઠી
અન્ય રોગ પીડિતોને કોવિડ રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવે- કેરળ
કેરળે કેન્દ્ર પાસે માંગ કરી છે કે કોઈ અન્ય રોગ પીડિતોને કોવિડ રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવે. કેરળ સરકારે કેન્દ્રને કહ્યું કે કોવિશીલ્ડના બીજા ડોઝનું અંતર ઓછું કરવામાં આવે. સાથે કોરોના વિરોધી રસીના સંબંધમાં પ્રમુખ મુદ્દાઓ પર તેજી લાવવાની વિનંતી કરી છે.
કોવિશીલ્ડના બીજા ડોઝનું અંતર ઓછું કરવામાં આવે
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે કહ્યું કે બાળકોના રસીકરણના સંબંધમાં મે પોતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને અમારા બાળકોના રસીકરણ પર ત્વરિત નિર્ણય લેવાનો આગ્રહ કર્યો છે. સાથે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો સમય ઓછો કરવા પર વિચાર કરવા અપીલ કરી છે. જોર્જે એનઆરઆઈ વસ્તીનો સંદર્ભ ટાંકતા કહ્યું કે કેરળ ઈચ્છે છે કે 2 ડોઝની વચ્ચે 84 દિવસમાં હાજર અંતર ઓછુ કરવામાં આવે.
કેન્દ્ર સરકાર કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે અંતર ઘટાડવા પર વિચાર કરશે
અંગ્રેજી અખબાર અનુસાર જોર્જે કહ્યું કે હવે 84 દિવસ થઈ ગયા છે પરંતુ અમે કેન્દ્ર સરકાર પાસે આ સમયને ઓછો કરવા માટે કહ્યું છે. તમે જાણો છો કે કેરળ એવું રાજ્ય છે કે જ્યાં એનઆરઆઈની સંખ્યા વધારે છે. અમારા ઘણા લોકો વિદેશમાં કામ કરે છે જો તેઓ અહીં આવીને પહેલો ડોઝ લે છે તો બીજા ડોઝ માટે 84 દિવસ સુધી રહેવું મુશ્કેલ છે. એટલા માટે અમે તેનું અંતર ઓછું કરવા માટે કહ્યું છે. મને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો પત્ર મળ્યો છે કે કેન્દ્ર સરકાર આના પર વિચાર કરશે.
બૂસ્ટર ડોઝ પર લખી ચિઠ્ઠી
કોવિડ રસીના બૂસ્ટર ડોઝની જરુરિયાત પર વિશેષ રુપથી રાજ્યની 30 ટકા વસ્તીમાં અન્ય રોગોને જોતા જોર્જે કહ્યું મે પહેલા જ કેન્દ્રીય મંત્રીને એક પત્ર લખ્યો છે કે તે બૂસ્ટર ડોઝ પર તાત્કાલિક નિર્ણય કરે. મને લાગે છે કે કેન્દ્ર સરકાર આના પર વિચાર કરશે. મારા પ્રમુખ સચિવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવની સમક્ષ આ મુદ્દાને ઉઠાવ્યો છે. અમે તેમના નિર્ણયની રાહ જોઈશું.
કોરોનાની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે કેરળમાં શુક્રવારે કોરોનાના 6674 નવા મામલા સામે આવ્યા સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 50,48,756 થઈ ગઈ છે. જ્યારે 59 લોકોના મોત થતા કુલ મોતનો આંક 35, 511 થયો છે. કેરળના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર 24 કલાકમાં 7022 લોકો સાજા થયા છે. જેમાં રાજ્યમાં મરનારાની સંખ્યા વધીને 49,43,813 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 68, 805 થઈ છે. જેમાં ફક્ત 6.7 ટકા દર્દી હોસ્પિટલમાં છે.