કેરળમાં પૂર અને વરસાદની સ્થિતિ ભયાનક થઈ ગઈ છે. મૃતકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. એવામાં ત્યાંના લોકોને રાહત આપવા માટે Reliance Jio અને ભારતી Airtelએ રિલીફ પેકેજ આપ્યું છે. Reliance Jio અને ભારતી Airtelએ પૂર પીડિતોની મદદ માટે મોબાઈલ ડેટા અને કોલિંગ ફ્રી કરી દીધું છે. આ ઉપરાંત Airtelએ આ જાહેરાત કરી છે કે સ્માર્ટફોન યુઝર્સ કેરળમાં કોઈપણ Airtel સ્ટોર પર જઈને બેટરી ચાર્જ કરી શકે છે. આવો જાણીએ Jio અને Airtel એ પૂર પીડિતો માટે શું ઓફર આપી છે.
Reliance Jio:
Reliance Jio પૂર પીડિત રાજ્યમાં પોતાના ગ્રાહકોને આવનારા 7 દિવસ સુધી અનલિમિટેડ વૉઇસ અને ડેટા પેકની સુવિધા આપી છે. એટલે કે કેરલમાં Jioના તમામ યૂઝર્સ આવનાર 7 દિવસો સુધી કોઇ પણ નેટવર્કમાં ફ્રી કૉલિંગ કરી શકે છે અને ડેટા પેકનો પણ ફાયદો ઉઠાવી શકે છે. જો Jioના યૂઝર્સને ફોનમાં હાલના પ્લાનની વેલિડિટી પૂરી થઇ ગઇ હોય તો ઘબરાવવાની જરૂર નથી. Jioના નવા પ્લાન તેમણે મળી જશે.
કેરળ માટે Airtelનું પેકેજ:
Airtelને પૂર પીડિત રાજ્યમાં પોતાના પ્રીપેડ યૂઝર્સને 30 રૂપિયાનું બેલેન્સ આપવામાં આવશે અને તેની વેલિડિટી સાત દિવસોની છે. જો યૂઝર્સને ફોનમાં બેલેન્સ પૂરુ થઇ ગયું હતો તો Airtel તેમના ફોનમાં 30 રૂપિયાનું બેલેન્સ આપી દેશે.
- આ સિવાય Airtel રાજ્યમાં પ્રીપેડ યૂઝર્સને ફ્રીમાં 1GB ડેટા આપશે અને તેની વેલિડિટી 7 દિવસો સુધી રહેશે.
- આ ઉપરાંત Airtel કેરવના 5 રિલીફ સેન્ટરો પર VSAT લગાવશે જેના દ્વારા યુઝર્સને મફત Wifiની સુવિધા મળશે. લોગ થ્રિસુર કાલીકટ માલાપુરમ કન્નૂર કોટાયમ ત્રિવેન્દ્રમ અને એરનાકુલમ જેવા સ્થળોએ Airtelના ફ્લેગશિપ સ્ટોર્સ પર પોતાના સ્માર્ટફોન્સની બેટરી ચાર્જ કરી શકો છો અને મફત કોલ કરી શકો છો.