છેલ્લા 10 દિવસથી કેરળના લોકો પૂરના પ્રકોપથી પીડાઇ રહ્યા છે. હજ્જારો લોકો પૂરના કારણે બેઘર બન્યા. કરોડો રૂપિયાનું નુકસાન થયું અને અનમોલ જીવન પણ લોકોએ ગુમાવવું પડયું. ત્યારે પત્ર સ્વરૂપે કેરળ રાજ્યની વ્યથા સાંભળવા જેવી છે.
હું કેરળ...આજે શબ્દોના સહારે મારી વ્યથા આપ સુધી મોકલી રહ્યો છું. મારી સદ્ધરતા પ્રાકૃતિક સૌદર્ય અને સંસ્કૃતિ પર મને ગર્વે છે અને રહેશે. પરંતુ છેલ્લા 10 દિવસથી આવેલી કુદરતી આફતે મારા ઉગતા અરમાનોને ઉજ્જળ કરી નાંખ્યા. 10-10 દિવસથી મારી જનતા પૂરના પાણીથી પીડિત છે.
હું કેરળ...સવા ત્રણ કરોડ લોકોનું વતન. આજે એક વિરાટ વિનાશકાય પ્રદેશ બની ગયો છું. જે લોકો મને હું વતન હતો. જન્મભૂમિ તરીકે આદર આપતા. જે મારા વ્હાલસોયા હતા તેવા સાડા ત્રણ સોથી વધુ લોકોએ મારા જ ખોળામાં દમ તોડી નાખ્યો. તેમની છેલ્લી વેદનાની સાક્ષી છે મારી જમીન મારી આબોહવા અને એવા લોકો જે પોતાના લોકોને ગુમાવી ચૂક્યા છે.
હું કેરળ...દેશના આર્થિક સદ્ધર રાજ્યોમાંનો એક.આજે લાચાર છું વિવશ છું. પાણી વચ્ચે પસાર થતો સમય મારી કાયાને કંપાવી રહ્યો છે. મારા લોકોની ભાષા ભલે અલગ હોય પરંતુ ચહેરા પર ઉભરતા ભાવ વેદનાને વાચા આપી જ દે છે. તસ્વીરો તમે પણ જોઇ હશેને. ઠેર ઠેર ફેલાયેલા પાણીએ મારુ સર્વસ્વ ધોઇ નાખ્યું. શું માનવી શું જાનવર. શું જંગલ.
હું કેરળ... ગોડ્સ ઓવન કન્ટ્રી એટલે કે ભગવાનના પોતાના દેશ તરીકે મને ઓળખ મળી. દરિયો તો મારા આંગણામાં છે. પરંતુ પાણીનો આવો ઘાતકી પ્રવાહ ક્યારેય નથી જોયો. ત્સુનામી સમયે પણ નહીં પણ ગર્વ છે મને આફતના આ વહેણને દેશના વિરલાઓની મજબુત ભુજાઓએ જવાબ આપ્યો છે.
મને કહેવામાં જરા પણ વાંધો નથી બહાદૂર જવાનોએ કુદરતની ક્રુરતાને લલકારી. તેના વિનાશ સામે પ્રેમ લાગણી મહેનત અને જવાબદારીનો જવાનોએ પહાડ ઉભો કરી દીધો છે. આ જ જવાનો છે જેમના કારણે ધુંધળાઇ ચુકેલા ભવિષ્ય વચ્ચે મને આશાના કિરણો દેખાઇ રહ્યા છે. પાણીના પ્રકોપની ખોટ પુરવી સહેલી નથી. જરૂર છે તમારી આર્થિક ઉદારતાની. જે મને આ વ્યથામાંથી ઉગારશે.
-આપના જ ભારતનો એક ભાગ
હું કેરળ