કેરળના પલક્કડમાં હાથણીનાં મોત બાદ દેશભરમાં આક્રોશ છે. સોશિયલ મીડિયા પર લોકો આ અમાનવીય ઘટના પર સંવેદનાઓની સાથે સાથે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઘણા બધા લોકોએ હાથણી સાથે આવી ક્રૂર હરકત કરનારાઓને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાથણી પર વધુ એક ભયાનક ઘટસ્ફોટ થયો છે.
મોઢામાં વિસ્ફોટના કારણે જબડામાં મોટી ઈજાઓ થઇ
14 દિવસથી હાથણી ભૂખી અને તરસી હતી
ફેફસાંમાં પાણી ભરાઈ જતા થયું કરુણ મોત
ઈજાથી પીડાતી હાથણીએ ગામના ચક્કર લગાવ્યા
હાથણીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. હાથણીમાં મોઢામાં વિસ્ફોટના કારણે જબડામાં મોટી ઈજાઓ થઇ હતી, જેના કારણે 14 દિવસથી હાથણી ભૂખી અને તરસી હતી. પાણીમાં ગયા પહેલા ભૂખના કારણે હાથણીએ આખા ગામમાં ચક્કર લગાવ્યા, હાથણી દર્દમાં તડપતી રહી. અધિકારીઓએ કહ્યું કે પોતે ઈજાગ્રસ્ત અને ભૂખી તરસી હોવા છતાં હાથણીએ કોઈને તકલીફ ન પહોંચાડી. જેથી કહી શકાય કે હાથણી ખૂબ સારી હતી.
ફેફસાંમાં પાણી ભરાઈ જતા મોત
હાથણી ગર્ભવતી અને મોતનું મુખ્ય કારણ ફેફસાંમાં પાણી ભરાઈ જવું હતું. શ્વાસ લેવામાં તકલીફનાં કારણે હાથણીનાં ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું. આ સિવાય વિસ્ફોટ તેના જડબામાં ફૂટવાના કારણે કંઈ ખાવા પીવા માટે તે અસમર્થ થઇ ગઈ હતી.
હાથણી મોત પર પણ રાજકારણ
બીજી તરફ હાથણીના મોત પર પણ ભાજપ અને કોંગ્રેસ રાજરમત કરી રહ્યા છે. કેરળનાં CM કહી રહ્યા છે કે ઘટના પલક્કડની છે જ્યારે કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે ઘટના મલપ્પુરમમાં થઇ. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે તે હાથણીના મોત પર પણ સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે અને ખોટી જાણકારીઓ ફેલાવી રહ્યા છે.