યુપી અને આસામ જેવા રાજ્યોમાં જનસંખ્યા નિયંત્રિત કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે કેરળના ચર્ચે વધારે બાળકો વાળા ઈસાઈ પરિવારોને આર્થિક મદદ આપવાનું એલાન કર્યુ છે. આ અંતર્ગત 5થી વધારે બાળકો વાળા પરિવારને દર મહિને 1500 રુપિયા મળશે. સુવિધા વર્ષ 2000 બાદ પરણિત દંપત્તીને મળશે.
યોજનાનો હેતુ ઈસાઈ સમુદાયને વસ્તી વધારવાનો
યોજનાનો હેતુ ઈસાઈ સમુદાયને વસ્તી વધારવા માટે પ્રેરિત કરવાનો છે. જોકે હાલ આનો તાત્કાલિક લક્ષ્ય મહામારીથી અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડવાનો જણાવવામાં આવી રહ્યો છે. સિરો માલાબાર કૈથોલિક ગિરજાધરના પાલા ડાયોસિસના ફેમિલી અપોસ્ટોલેટ અનુસાર ‘ઈયર ઓફ ધ ફેમિલી સેલિબ્રેશન’ અંતર્ગત ગત સોમવારે બિશપ જોસેફ કલરંગટની ઓનલાઈન બેઠકમાં આ જાહેરાત થઈ છે.
ફેમિલી અપોસ્ટોલેટના ફાદર કુટ્ટિયાનકલે જણાવ્યું કે આર્થિક મદદ ઓગસ્ટથી શરુ કરી શકાય છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું આ યોજના 2019માં ચાંગાનાચેરી આર્ચડાયોસિસ દ્વારા જારી પત્ર હેઠળ ચલાવવામાં આવી રહી છે? તો તેમણે કહ્યું કે પત્રમાં ઉઠાવવામાં આવેલા મામલા આજનુ સત્ય છે. હકિકતમાં આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેરળમાં ઈસાઈ સમુદાયની વસ્તી તેજીથી ઘટી રહી છે.
બીજી સૌથી વધારે વસ્તી ઈસાઈની હતી, હવે ત્રીજી છે
2019માં જોસેફ પેરુંથોત્તમ દ્વારા લખવામાં આવેલ પત્રમાં કહેવામાં આવ્યું છે કે એક સમયે કેરળમાં ઈસાઈની રાજ્યમાં બીજી સૌથી મોટી વસ્તી હતી. હવે આ ત્રીજા સ્થાન પર છે. વસ્તી ઘટીને 18.38 ટકા રહી ગઈ છે.
આ 2 જાહેરાતો ખૂબ મહત્વપૂર્ણ
ચૌથા બાળકને જન્મ પર મફત સારવાર અને ચૌથા અથવા તેનાથી વધારે બાળકોને જન્મ આપનારા આ સમુદાયની મહિલાઓને ચર્ચા હસ્તક હોસ્પિટલોમાં પ્રસુતિ સારવાર નિઃશુલ્ક કરવાની જાહેરાત કરાઈ છે.