કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને વિવાદીત નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને રદ્દ કરવાની માંગ કરતા રાજ્ય વિધાનસભામાં મંગળવારે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રસ્તાવને રજૂ કરતા વિજયને કહ્યું કે સીએએ (Citizenship Amendment Act) ધર્મનિરપેક્ષતાની દ્રષ્ટિએ વિરુદ્ધ છે તથા તેમા નાગરિકતા આપવામાં ધર્મના આધાર પર ભેદભાવ થશે.
કેરળમાં ધર્મનિરપેક્ષતાનો એક લાંબો ઇતિહાસ : CM વિજયન
બીજેપી ધારાસભ્યે સીએએ વિરુદ્ધનો પ્રસ્તાવનો વિરોધ કર્યો
સીએમ વિજયને કહ્યું, અમારી પરંપરા સમાવેશની છે
આ દરમિયાન સીએમ વિજયને કહ્યું કે કેરળમાં ધર્મનિરપેક્ષતા, યૂનાનિયો, રોમન, અરબોનો એક લાંબો ઇતિહાસ છે. દરેક અમારી જમીન પર પહોંચ્યું. ગૃહમાં આ પ્રસ્તાવ પાસ થઇ ગયો. મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું કે, કેરળમાં ધર્મનિરપેક્ષતાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. શરૂઆતમાં ઇસાઇ અને મુસલમાન કેરળ પહોંચ્યા. અમારી પરંપરા સમાવેશની છે. તેઓએ કહ્યું કે, 'આ કાયદો બંધારણના આધારભૂત મૂલ્યો અને સિદ્ધાંતોના વિરોધાભાસી છે.'
સીએમ વિજયને કહ્યું, 'દેશના લોકો વચ્ચે ચિંતાને જોતા કેન્દ્રે સીએએ (CAA) પાછુ લેવાના પગલા ઉઠાવવા જોઇએ અને બંધારણની મૂળ ભાવના ધરનિરપેક્ષતાને યથાવત રાખવી જોઇએ.' વિજયને વિધાનસભામાં એ આશ્વાસન પણ આપ્યું કે આ દક્ષિણી રાજ્યમાં કોઇ ડિટેન્શન સેન્ટર ખોલવામાં આવશે નહીં.
સત્ર શરૂ થવા સાથે વિધાનસભામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ઓ રાજગોપાલે પ્રસ્તાવ પર વાંધો દર્શાવતા કહ્યું કે આ ગેરકાયદાકીય છે, કેમકે સંસદના બંને ગૃહોએ નાગરિકતા સંશોધન કાયદાને પસાર કરી દીધો છે.
આપણી વિધાનસભાની પરંપરાને જિવીત રાખવાની જરૂર છે. કેરળ વિધાનસભાએ આજે મંગળવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) ને હટાવવાની માંગ સંબંધીત પ્રસ્તાવ પાસ કરી દીધો છે. જોકે, કેરળ સરકારની તરફથી રજૂ કરવામાં આવેલ આ પ્રસ્તાવને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. જ્યારે બીજેપી ધારાસભ્ય ઓ. રાજગોપાલે વિરોધ કર્યો.
કેરળમાં વિવાદીત નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને રદ્દ કરવાની માંગ કરતા રાજ્ય વિધાનસભામાં મંગળવારે એક પ્રસ્તાવ રજૂ કરાયો છે. પહેલીવાર ભારતના બંધારણની વિરુદ્ધમાં કોઇ વિધાનસભામાં સીએમ દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો છે.