કેરળમાં સત્તારુઢ માકપા (CPIM)એ બુધવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપાના ‘ભર્તી એજન્ટ’ની જેમ વાત કરી રહ્યા છે.
ગાંધીએ ભાજપાની થોડી પણ નિંદા નથી કરી
પોન્ડિંચેરીમાં કોંગ્રેસ નીતિ સરકારને નહીં બચાવી શકે
રાહુલ ગાંધીનો આરોપ નિરાશ કરનારો- CPIM
અનેક મુદ્દાઓ પર મોર્ચા સરકારની નિંદા કરી
માકપા તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે કોંગ્રેસ નેતાએ એક દિવસ પહેલા કુટનીતિક માધ્યમથી સોનાની તસ્કરી સહિત અનેક મુદ્દાઓ પર મોર્ચા સરકારની નિંદા કરી.
ગાંધીએ ભાજપાની થોડી પણ નિંદા નથી કરી
નિવેદનમાં માકપા રાજ્ય સચિવાલયે દાવો કર્યો કે કોંગ્રેસની મંગળવારની રેલીમાં ગાંધીએ ભાજપાની થોડી પણ નિંદા નથી કરી. માકપાએ કહ્યું કે તેમણે(રાહુલ ગાંધી) ભાજપાના ભરતી એજન્ટ તરીકે વાત કરી. આ ઘણી હેરાન કરનારી વાત છે. પાર્ટીએ આરોપ લગાવ્યો કે ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દો ભાજપ જેવા જ છે.
કોંગ્રેસે ભાજપની આલોચના નથી કરી.
માકપાએ એ દાવો પણ કર્યો છે કે રાજ્યમાં નેતા વિપક્ષ રમેશ ચેન્નિખલાના નેતૃત્વમાં હાલમાં થયેલી યાત્રા દરમિયાન કોંગ્રેસે ભાજપની આલોચના નથી કરી. સત્તારુઢ પાર્ટીએ આરોપ લગાવ્યો કે આ બધુ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર થયુ. ગાંધીને વિફળ નેતા ગણાવતા માકપાના રાજ્ય સચિવ પ્રભારીએ એ વિજયરાધવને કહ્યું કે કોંગ્રેસ નેતા પોન્ડિંચેરીમાં કોંગ્રેસ નીતિ સરકારને નહીં બચાવી શકે.
રાહુલ ગાંધીનો આરોપ નિરાશ કરનારો- CPIM
CPIMએ કહ્યું કે ભાષણમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતાએ ભાજપની આલોચના કરવાની હિંમત નથી કરી. હકિકતમાં રાહુલ ગાંધી દ્વારા વામપંથિઓ પર કરવામાં આવેલા હુમલાનો અવાજ ભાજપની જેમ જ હતી. આ દર્શાવે છે કે કોંગ્રેસ સાંપ્રદાયિક છે. આ જ દ્રષ્ટિકોણ અનેક રાજ્યોમાં કોંગ્રેસ ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. સીપીઆઈ(એમ)એ આરોપ લગાવ્યો કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ એક સંયોગ નહોતો કે યૂડીએફે માર્ચ દરમિયાન ભાજપની વિરુદ્ધ ન બોલ્યા અને આવું કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર કરવામાં આવ્યું. સીપીઆઈએમ સચિવાલયે કહ્યું કે કેરળ સરકારની વિરુદ્ધ રાહુલ ગાંધીનો આરોપ નિરાશ કરનારો હતો.