બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:27 PM, 14 June 2024
કેન્યાની સરકારે ભારતીય કાગડાઓ સામે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસ (KWS)નું કહેવું છે કે આ 'ઇન્ડિયન હાઉસ ક્રો' વિદેશી પક્ષીઓ છે, જે છેલ્લા ઘણા દાયકાઓથી ત્યાં રહેતા લોકોને પરેશાન કરી રહ્યા છે. KWS એ વર્ષ 2024ના અંત સુધીમાં કેન્યાના સમગ્ર તટીય વિસ્તારમાંથી 10 લાખ કાગડાઓને ખતમ કરવાની જાહેરાત કરી છે. આ કાળા કાગડાઓ ભારતીય મૂળના હોવાનું કહેવાય રહ્યું છે. એવું માનવામાં આવે છે કે તે 1940 ની આસપાસ પૂર્વ આફ્રિકા જઈ પહોંચ્યા હતા. ત્યારથી તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને તેઓ આક્રમક બની રહ્યા છે.
ADVERTISEMENT
કેન્યા સરકારનું કહેવું છે કે આ વિદેશી કાગડાઓને કારણે કેન્યાના મૂળના પક્ષીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. આમાં સ્કેલી બબ્લર્સ, પાઈડ કાગડા, માઉસ-કલર્ડ સનબર્ડ, વીવર બર્ડ્સ, કોમન વેક્સબિલ અને પાણીની નજીક રહેતા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
કાગડાઓ કેન્યાને શું નુકસાન કરે છે?
કેન્યાના પક્ષી નિષ્ણાત કોલિન જેક્સનનું કહેવું છે કે આ ભારતીય કાગડાઓને કારણે કેન્યાના દરિયાઈ વિસ્તારોમાં નાના, સ્થાનિક પક્ષીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. આ ભારતીય કાગડાઓ નાના પક્ષીઓના માળાઓનો નાશ કરે છે. પછી તેમના ઈંડા અને બચ્ચાઓ ખાઈ જાય છે. કોલિન જેક્સને કહ્યું, "જ્યારે જંગલના વાસ્તવિક પક્ષીઓ ઓછા થઈ જાય છે, ત્યારે આખું વાતાવરણ બગડે છે. જંતુઓ અને અન્ય નાના જીવો પુષ્કળ પ્રમાણમાં વધે છે, જેના કારણે એક પછી એક સમસ્યા ઊભી થાય છે. આ કાગડાઓ માત્ર પક્ષીઓને જ અસર કરતા નથી, પરંતુ સમગ્ર પર્યાવરણને પણ નુકસાન કરે છે."
કેન્યાના અર્થતંત્રને કાગડાઓથી શું નુકસાન?
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાગડાઓ માત્ર જંગલી પક્ષીઓ માટે જ સમસ્યા નથી, પરંતુ પ્રવાસીઓ અને હોટેલ ઉદ્યોગને પણ ઘણી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. આ બંને ઉદ્યોગો કેન્યા માટે વિદેશી હૂંડિયામણ કમાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દરિયા કિનારે આવેલી હોટેલ માલિકોનું કહેવું છે કે આ કાગડા પ્રવાસીઓને જમતી વખતે ખૂબ હેરાન કરે છે. કેન્યામાં સ્થાનિક મરઘાં ખેડૂતો પણ કાગડાઓથી પરેશાન છે. કારણ કે આ કાગડા દરરોજ 10-20 બચ્ચાઓને લઈ જઈ શકે છે. તેથી, તેમને મરઘીઓનાં બચ્ચાની વધુ કાળજી લેવાની જરૂર પડે છે. તેઓ મોટી સંખ્યામાં આવે છે અને ખૂબ જ હોંશિયાર હોય છે. કેટલાક કાગડાઓ મરઘીઓ અને બતકોનું ધ્યાન ભટકાવે છે, પછી કાગડાઓનું બીજું ગ્રુપ બચ્ચાઓ પર હુમલો કરે છે. આને કારણે ખેડૂતો પણ આ વધી રહેલા કાગડાઓથી પરેશાન છે.
કાગડાઓને મારવાની યોજના
આ પહેલીવાર નથી જ્યારે કેન્યા સરકાર કાગડાઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટ (KWS) અનુસાર, લગભગ 20 વર્ષ પહેલાં આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે સમયે પક્ષીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. પરંતુ આ કાગડા ખૂબ જ ઝડપથી શીખે છે અને માણસોની આસપાસ રહે છે, જેના કારણે તેમની સંખ્યા ફરી વધી છે. તેથી જ નવી યોજના બનાવવામાં આવી છે. આ વખતે કેન્યા સરકાર કાગડાઓને ખતમ કરવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવી રહી છે. આ યોજના હોટેલીયર્સ, કાગડાને મારવાની વ્યવસ્થા કરનારા ડોક્ટરો, વન બચાવ સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓના સહયોગથી બનાવવામાં આવી છે.
વધુ વાંચો: કુવૈત અગ્નિકાંડમાં આ 20 લોકો કેવી રીતે બચ્યાં? જાણો તેની પાછળની રિયલ કહાની
કેન્યાની પેસ્ટ કંટ્રોલ ઓથોરિટી (PCPB) એ હોટેલીયર્સને ઝેર આયાત કરવાની પરવાનગી આપી છે. તેમનું કહેવું છે કે કેન્યાના દરિયાઈ વિસ્તારોમાં રહેતા અંદાજે 1 મિલિયન જંગલી કાગડાઓને નિયંત્રિત કરવાનો આ સૌથી અસરકારક રસ્તો છે. વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટ (KWS) પણ આ કાગડાઓને મારવા માટે એક ખાસ પદ્ધતિ અપનાવવાની યોજના બનાવી રહ્યું છે. તેમનું માનવું છે કે અન્ય વન્ય પ્રાણીઓ અને સમગ્ર પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે તેવી પદ્ધતિ અપનાવવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.