ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો વેબસાઇટ kvsangathan.nic.in દ્વારા ખાલી પદો માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
શિક્ષકો માટે ખુશ ખબર
કેન્દ્રીય વિદ્યાલયમાં ટૂંક સમયમાં બહાર પડશે ભરતી
કુલ 16 હજારથી વધુ પોસ્ટ માટે કરી શકાશે અરજી
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ટૂંક સમયમાં ભારતભરની વિવિધ KV શાળાઓમાં ટીચિંગ અને નોન-ટીચિંગ પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી શકે છે. રસ ધરાવનાર અને લાયક ઉમેદવારો નોટિફિકેશન બહાર પાડ્યા પછી વેબસાઇટ kvsangathan.nic.in દ્વારા પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકશે.
આ પદો પર ભરતી માટે આવી શકે છે નોટિફિકેશન
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર -1942
ટ્રેંડ ગ્રેજ્યુએટ ટીચર (TGT) - 3850
પ્રાઈમરી ટીચર (PRT)- 4322
PRT (સંગીત) - 230
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર(ASO) - 243
સીનિયર સચિવાલય સહાયક(SSA) - 590
જુનિયર સચિવાલય સહાયક (JSA) - 652
સબ સ્ટાફ (નિયમિત) - 4586
સ્ટેનોગ્રાફર ગ્રેડ-I - 9
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II - 48
આ પોસ્ટ્સ પરની વય મર્યાદા વિશે વાત કરીએ તો, PGT માટે મહત્તમ વય 40 વર્ષ છે, TGT/લાઈબ્રેરિયન માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ છે, PRT માટે મહત્તમ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવી શકે છે. સાથે જ ઉંમરમાં પણ સરકારી નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
KVS ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વેબસાઇટ kvsangathan.nic.in દ્વારા નિર્દેશ અનુસાર ખાલી જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરી શકે છે.
અરજી ફોર્મ ભરો
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
અરજી ફી ચૂકવો
એપ્લિકેશન ફોર્મ પ્રિંટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેને સંભાળીને રાખો.