ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે દિલ્હીના સીએમ કેજરીવાલે કાગળની સ્લિપ પર લખીને પોતાના ત્રણ નેતાઓની જીતનો દાવો કર્યો હતો, તેનું શું થયું?
AAP ના દાવા પણ ખોટ પડતાં નજર આવી રહ્યા છે
કેજરીવાલે ત્રણ નેતાઓની જીતની કરી હતી ભવિષ્યવાણી
કેજરીવાલની બંને લેખિત ભવિષ્યવાણી ખોટી પડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 157, કોંગ્રેસ 16, AAP 5 અને 4 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની અનેક બેઠક પર અણધાર્યા પરિણામો આવી રહ્યા છે અને હાલનું વલણ જોતાં લાગી રહ્યું છે છે ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. આ સાથે જ કોંગ્રેસ માટે અનેક સીટ પરથી માઠા સમાચાર આવી રહ્યા છે આ સાથે જ AAP ના દાવા પણ ખોટ પડતાં નજર આવી રહ્યા છે.
કેજરીવાલે ત્રણ નેતાઓની જીતની કરી હતી ભવિષ્યવાણી
ગુજરાતમાં પહેલી વખત આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી તેના ઉમેદવારો પાંચ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે દિલ્હીના સીએમ કેજરીવાલે કાગળની સ્લિપ પર લખીને પોતાના ત્રણ નેતાઓની જીતનો દાવો કર્યો હતો, જેમાં AAPના સીએમ ચહેરો ઇસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાનું નામ લખવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ દરમિયાન આ ત્રણ ઉમેદવારની જીતનો દાવો કર્યો હતો. આ માટે એમને ત્રણેય નેતાઓના નામ કાગળ પર લખ્યા હતા અને તેમની બેઠકો પર જીતનો દાવો કર્યો હતો. હાલ આમ આદમી પાર્ટીના આ ત્રણેય નેતાઓ ચૂંટણી હારતા જોવા મળી રહ્યા છે.
કેજરીવાલની બંને લેખિત ભવિષ્યવાણી ખોટી પડી
ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવીને ગુજરાતમાં સરકાર બનાવવાનો આમ આદમી પાર્ટી દાવો કર્યો હતો. AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે અને રાજ્યમાં છેલ્લા ઘણા સર્વેમાં ભાજપ અને કોંગ્રેસનો વોટ શેર સતત ઘટી રહ્યા છે.' આ સાથે એમને એમ પણ આ લખીને આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી 5 સીટોમાં સમેટાઇ જશે. જો કે હાલ કેજરીવાલની બંને લેખિત ભવિષ્યવાણી ખોટી પડતી નજર આવી રહી છે.