ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓના પ્રવાસો શરૂ થયા છે. PM મોદી, રાહુલ ગાંધી બાદ કેજરીવાલ પણ ગુજરાત આવશે
અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાતના પ્રવાસે
એપ્રિલના અંતમાં અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
કેજરીવાલ સાથે ભગવંત માન પણ ફરી આવી શકે છે ગુજરાત
કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈ AAP દ્વારા તૈયારીઓ
અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાતના પ્રવાસે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાશે, ત્યારે અત્યાર થી જ વિવિધ રાજકીય નેતાઓના પોતાની પાર્ટીના પ્રચાર માટે પ્રવાસો શરૂ કરી દીધા છે. ત્યારે આગામી દિવોસમાં PM મોદી, રાહૂલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
એપ્રિલના અંતમાં અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
પંજાબ બાદ આપની નજર હવે ગુજરાત પર છે. તાજેતરમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યાં હતાં. ત્યાર હાલ ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પુનઃ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
કેજરીવાલ સાથે ભગવંત માન પણ ફરી આવી શકે છે ગુજરાત
ઉલ્લેખનીયછે કે, કેજરીવાલ એપ્રિલ માસના અંતમાં ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પુનઃ ગુજરાત આવી શકે છે. તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે. આમ અરવિંદ કેજરીવાલ અને ભગવંતન માનના ગુજરાતની મુલાકાતને લઈને આમ આદમી પાર્ટીમાં હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.