દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને ડેનમાર્કના કોપનહેગનમાં યોજાનારી સી-40 જલવાયુ સમ્મેલનમાં સામેલ થવા માટે વિદેશ મંત્રાલયે ભલે મંજૂરી ન આપી હોય પરંતુ કેજરીવાલ સમ્મેલનમાં હાજર રહેશે. અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુક્રવારે સી-40 સમિટને સંબોધિત કરશે.
દિલ્હીના સીએમ કેજરીવાલને ડેનમાર્કમાં સમ્મેલનમાં જવાની નહોતી મળી મંજૂરી
અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુક્રવારે સી-40 સમિટને સંબોધિત કરશે
સમિટના આયોજકોના અનુરોધ પર કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે
કેજરીવાલ આ દિવસે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ સાત શહેરોના સંયુક્ત પત્રકાર સંમેલનમાં પણ ભાગ લેશે. વિદેશ મંત્રાલયે અરવિંદ કેજરીવાલનું ડેનમાર્કમાં યોજાનાર સી-40 સમ્મેલન માટે પોલિટિકલ ક્લિયરન્સ ફગાવી દીધુ હતું. જોકે, આ સમિટના આયોજકોના અનુરોધ પર કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક સત્રને સંબોધિત કરવા માટે તૈયાર થઇ ગયા.
તેમા અરવિંદ કેજરીવાલ સંભવત: દિલ્હીમાં પ્રદુષણ ઓછુ કરવાના અનુભવોને શેયર કરશે. નોંધનીય છે દિલ્હીમાં ગત પાંચ વર્ષો દરમિયાન 25 ટકા વાયુ પ્રદુષણ ઓછુ કરવામાં સફળતા મળી છે. મુખ્યમંત્રી ઓડ ઇવનની સફળતા વિશે બતાવી શકે છે. અરવિંદ કેજરીવાલના આ પ્રવાસને મંજૂરી ન મળવા પર આમ આદમી પાર્ટી મોદી સરકાર પર હુમલો કર્યો. આપના નેતા સંજય સિંહે તેને 'દુર્ભાગ્યપૂર્ણ' બતાવ્યું હતું.