દિલ્હીની આસપાસ સુરક્ષાદળો સિક્યોરીટીમાં વધારો કર્યો છે કારણ કે જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ આંદોલન વધુ ને વધુ પ્રબળ બની રહ્યું છે.
દિલ્હી પોલીસે અલગ અલગ બોર્ડર વિસ્તારોને બેરિગેડ લગાવીને સુરક્ષિત કર્યા છે. કેન્દ્રએ પસાર કરેલા કૃષિ કાયદાઓના વિરોધનું આંદોલન વધુ તીવ્ર બન્યું છે. આજે દિલ્હી જયપુર વચ્ચેનો હાઈવે ખેડૂતોને ચક્કાજામ કર્યો હતો. આજે તેમણે રાજસ્થાન હરિયાણાની બોર્ડર ઉપર શારજહાંપુરથી શરુ કરીને ટ્રેક્ટર રેલી કરી હતી જેના કારણે ત્રણ કલાક માટે ટ્રાફિક અટવાઈ ગયો હતો.
આવતા અઠવાડિયાથી રાજધાનીને જોડતા બીજા હાઈવે પણ બ્લોક કરશે
નોંધનીય છે કે 3 કૃષિ કાયદાઓના વિરોધમાં આ આંદોલન છેલ્લા 2 અઠવાડિયાથી ચાલી રહ્યું છે અને હવે એવી ખેડૂતોએ એવી ધમકી ઉચ્ચારી છે કે તેઓ આવતા અઠવાડિયાથી રાજધાનીને જોડતા બીજા હાઈવે પણ બ્લોક કરવા જઈ રહ્યા છે.
કેજરીવાલ ખેડૂતો સાથે બેસશે ઉપવાસ ઉપર
આવતી કાલે ખેડૂતો ભૂખ હડતાળ ઉપર બેસવા જઈ રહ્યા છે. તેમણે એક વિડીયોમાં આ સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે ભાજપ અને કેન્દ્રના નેતાઓ ખેડૂતોના આંદોલનને દેશ વિરોધી ગણાવે છે. મારો સવાલ એ છે કે શું દિલ્હીની સરહદ ઉપર ખેડૂતો સાથે બેઠેલા હજારો નિવૃત્ત જવાનો પણ દેશ દ્રોહી છે? ખેડૂતોના સમર્થનમાં પોતાનો રમતનો મેડલ પાછો આપી દેનારા ખેલાડીઓ પણ દેશ દ્રોહી છે?
નોધનીય છે કે ખેડૂતો આવતી કાલે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ભૂખ હડતાળ યોજશે. ખેડૂતોએ આ પ્રદર્શનમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે વિનંતી કરી છે.