ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે. જ્યારથી ખેડૂતોએ પોતાનું આંદોલન છેડ્યું છે ત્યારથી દેશમાં આ આંદોલની તરફેણમાં અને વિરોધમાં ચર્ચાઓ છે છેડાઈ રહી છે.
સરકાર પોતાના પગલાંને ખેડૂતોના હિતમાં ગણાવી રહી છે તો ખેડૂતો આ કાયદાને ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાની સરકારની ચાલ ગણાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે દિલ્લી CM અરવિંદ કેજરીવાલે આજે વિધાનસભામાં કૃષિ બિલના વિરોધમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
देश के किसानों की मांगों के साथ दिल्ली सरकार एवं आम आदमी पार्टी मज़बूती के साथ खड़ी है। किसान विरोधी काले कानूनों के ख़िलाफ़ दिल्ली विधानसभा से मेरा सम्बोधन | LIVE https://t.co/KyOIerL6bf
ખેડૂત સુધારણા કાયદા મામલે કેજરીવાલે ભાજપ સરકાર પર સૌથી મોટો આરોપ મુક્યો હતો. તેમનો આક્ષેપ છે કે ભાજપે ખેડૂતોના હિત માટે નહી પરંતુ ચૂંટણી ફંડ ઉભુ કરવા માટે ઉદ્યોગોના હિતમાં આ કાયદા ઘડ્યા છે. દિલ્લીની વિધાનસભામાં કાયદા વિશે બોલતા CM કેજરીવાલે મોદી સરકાર ઉપર ચાબખા વરસાવ્યા હતા. તેમણે કહ્યું કે ખેતીની ઉપજને આખા દેશમાં ખેડૂતો નહી પરંતુ કંપનીઓ અને વેપારીઓ વેચશે.
ભાજપના લોકો એવા ફાયદા ગણાવી રહ્યાં છે જે હાસ્યાસ્પદ છે
કેજરીવાલે વધુમાં કહ્યું કે કાયદા વિશે ભાજપના લોકો એવા ફાયદા ગણાવી રહ્યાં છે જે હાસ્યાસ્પદ છે. ખેડૂતોની જમીન કંપનીઓ પાસે નહીં જાય તેવો ફાયદો ગણાવાઈ રહ્યો છે. જમીન તો ખેડૂતો પાસે જ હોય છે. ખેડૂતોને ભ્રમિત કરાવવાની સાથે સાથે ભાજપ સંગઠનને ભ્રમિત કરાઈ રહ્યું છે તેવો કેજરીવાલનો દાવો છે.
ચાલુ સભામાં કૃષિ બિલ ફાડી નાખ્યું
દિલ્લીની વિધાનસભામાં CM કેજરીવાલે ચાલુ સભામાં કૃષિ બિલ ફાડી નાખ્યું હતું. તેમણે કૃષિ કાયદાને ખેડૂત વિરોધી ગણાવીને બિલ ફાડી નાખ્યું હતું. કેન્દ્ર સરકારને ઉદ્દેશીને કેજરીવાલે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે કેન્દ્ર સરકાર હજુ કેટલા ખેડૂતોના બલિદાન ઈચ્છે છે?
શું ખેડૂતોની જમીન ઝૂંટવાઈ ન જાય એ જ એક ફાયદો છે?
તેમણે એમ કહ્યું કે UPના CM યોગી આદિત્યનાથ કહે છે કે આ બિલથી કોઈ જમીનો ઝૂંટવી નહીં શકે. શું ખેડૂતોની જમીન ઝૂંટવાઈ ન જાય એ જ એક ફાયદો છે? આવા આકરા સવાલો સાથે કેજરીવાલે વિધાનસભાને ગજવી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ આ બિલના ફાયદાની સ્પષ્ટતા કરે.
ભાજપ સરકાર કોના હિતમાં કામ કરે છે?
કેજરીવાલે કહ્યું કે સરકાર કોના હિતમાં કામ કરે છે તે સ્પષ્ટ કરવું પડશે. તેમનો આક્ષેપ છે કે નવા કાયદાઓથી ઉદ્યોગોનું જ હિત થઇ રહ્યું છે. ઉદ્યોગોના હિતથી સરકાર ઉદ્યોગપતિઓ પાસે તગડું ચૂંટણી ફંડ ઉઘરાવવા માંગે છે.