કારમાં આવેલા 5 છોકરાઓ છોકરીને કારમાં ચાર કિલોમીટર સુધી ખેંચી ગયા
અરવિંદ કેજરીવાલે તેને ગણાવ્યો શરમજનક અકસ્માત
સુલતાનપુરીમાં શનિવારે રાત્રે યુવતીને 4 કિલોમીટર સુધી ખેંચી જવાના મામલામાં માનવતા પણ શરમમાં મુકાઈ ગઈ હતી. દારૂના નશામાં ધૂત આરોપી યુવક યુવતીને કારમાં સુલતાનપુરીથી જોન્ટી ગામ, કાંઝાવાલા તરફ ખેંચી ગયો હતો. યુવતી આગળના બમ્પર અને વ્હીલ્સ વચ્ચે ફસાઈ ગઈ હતી. કારમાં ફસાયેલી લાશ રોડ પર પડી જતાં યુવકો નાસી ગયા હતા. ટક્કર બાદ યુવતી કારમાં ફસાઈ ગઈ હતી અને એ બાદ યુવતીની હાલત એવી થઈ ગઈ કે તેના બધા હાડકાં ચકનાચૂર થઈ ગયા અને તેના શરીર પર એક પણ કપડું બચ્યું ન હતું. યુવતીના બંને પગ, માથું અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે કચડાઈ ગયા હતા.
कंझावला में हमारी बहन के साथ जो हुआ, वो बेहद शर्मनाक है। मैं उम्मीद करता हूँ कि दोषियों को कड़ी से कड़ी सज़ा दी जाएगी। pic.twitter.com/Mmuuf8HnWl
અરવિંદ કેજરીવાલે તેને ગણાવ્યો શરમજનક અકસ્માત
દિલ્હીના કાંઝાવાલામાં બાળકી સાથે થયેલા દર્દનાક અકસ્માત બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને શરમજનક અકસ્માત ગણાવતા કહ્યું કે, 'કાંઝાવાલામાં અમારી બહેન સાથે જે થયું તે ખૂબ જ શરમજનક છે.' સીએમ કેજરીવાલે કહ્યું કે, 'મને આશા છે કે આ મામલામાં દોષિતોને સખત સજા થશે.'
પોલીસ તપાસમાં શું સામે આવ્યું ?
આ મામલામાં પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, એક 23 વર્ષની છોકરી સ્કૂટી પર તેના ઘરે જઈ રહી હતી, જ્યારે એક કારમાં પાંચ છોકરાઓ ત્યાંથી પસાર થયા ત્યારે સ્કૂટીને અકસ્માત નડ્યો. કાર અને યુવતીને ઇજા થયા બાદ તે કારમાં ફસાઇ ગઇ હતી. આ પછી કાર યુવતીને સુલતાનપુરીથી કાંઝાવાલા વિસ્તાર સુધી લગભગ 4 કિલોમીટર સુધી ખેંચીને લઈ ગઈ. આ દરમિયાન યુવતીના શરીર પરથી તમામ કપડા અલગ થઈ ગયા હતા. જેના કારણે તેનું દર્દનાક મોત થયું. મૃતક યુવતીની ઓળખ અંજલિ સિંહ તરીકે થઈ છે. તે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર હતી. જે બાદ મુખ્યમંત્રી કેજરીવાલે પહેલીવાર પ્રતિક્રિયા આપતા આ કેસને શરમજનક ગણાવ્યો હતો અને આરોપીઓને કડક સજાની માંગ કરી હતી.
My head hangs in shame over the inhuman crime in Kanjhawla-Sultanpuri today morning and I am shocked at the monstrous insensitivity of the perpetrators.
Have been monitoring with @CPDelhi and the accused have been apprehended. All aspects are being thoroughly looked into.
દિલ્હીના એલજીએ પણ આપ્યું છે નિવેદન
આ મામલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે અને તેને અમાનવીય ગણાવતા કહ્યું હતું કે આજે સવારે કાંઝાવાલા સુલ્તાનપુરીમાં જે અમાનવીય અપરાધ થયો છે તેનાથી મારું માથું શરમથી ઝુકી ગયું છે. હું ગુનેગારોના રાક્ષસી પ્રવૃતિની અસંવેદનશીલતાથી આઘાત પામું છું. એલજી વિનય સક્સેનાએ દિલ્હી પોલીસ કમિશનરને ટેગ કરીને કહ્યું કે, હું દિલ્હી પોલીસ કમિશનર સાથે આ મામલાને મોનિટર કરી રહ્યો છું. આરોપીઓ ઝડપાઈ ગયા છે.
લેફ્ટનન્ટ ગવર્નરે તેમના નિવેદનમાં કહ્યું કે પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે, તે સુનિશ્ચિત કરવામાં આવશે. એમને કહ્યું કે હું બધાને આ તકનો આશરો ન લેવા અપીલ કરું છું. ચાલો વધુ જવાબદાર અને સંવેદનશીલ સમાજ માટે સાથે મળીને કામ કરીએ.
દિલ્હી મહિલા આયોગે શું કહ્યું ?
ઘટના અંગે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું છે કે, દિલ્હીના કાંઝાવાલામાં એક બાળકીનો મૃતદેહ મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, નશાની હાલતમાં કેટલાક છોકરાઓએ તેની સ્કૂટીને કાર સાથે ટક્કર મારી અને તેને ઘણા કિલોમીટર સુધી ખેંચી ગયા. આ મામલો ઘણો ખતરનાક છે, હું દિલ્હી પોલીસને હાજરી માટે સમન્સ જાહેર કરી રહી છું. સમગ્ર સત્ય બહાર આવવું જોઈએ.