દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેરલમાં રાજકીય પગપેસારો કરવાની યોજના બનાવી છે.
કેજરીવાલ હવે દક્ષિણ ભારતમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે
કેરલમાં આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન
ગઠબંધન કરવાની કરી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેરલમાં રાજકીય પગપેસારો કરવાની યોજના બનાવી છે. જે અંતર્ગત રવિવારે રોજ વેપારી ગ્રુપ દ્વારા સંચાલિત રાજકીય પાર્ટી ટ્વેંટી-20 સાથે પોતાની પાર્ટીના રાજકીય ગઠબંધનની જાહેરાત કરી છે.
കേരളത്തിന് ഇതൊരു ചരിത്രദിനമാണ്.
പീപ്പിൾസ് വെൽഫയർ അലയൻസ് (People's Welfare Alliance) എന്ന പുത്തൻ രാഷ്ട്രീയ സഖ്യത്തിലൂടെ ആം ആദ്മി പാർട്ടിയും ട്വന്റി20 പാർട്ടിയും കേരളത്തിന്റെയും മലയാളികളുടെയും സമഗ്രക്ഷേമത്തിന് വേണ്ടി പ്രവർത്തിക്കും. pic.twitter.com/rP1IEr4W9q
અરવિંદ કેજરીવાલે રાજ્યના મુખ્યધારાના રાજકીય દળો પર આરોપ લગાવ્યો છે કે, તેઓ યુવાનોને રોજગાર આપવાના રસ દાખવતા નથીય કિટેક્સ ગ્રુપ દ્વારા સંચાલિત રાજકીય પાર્ટી ટ્વેંટી 20 દ્વારા આયોજીત એક જાહેર સભામાં ભાગ લેતા કેજરીવાલે કહ્યું કે, આ રાજકીય પાર્ટી રાજ્યમાં યુવાનોને નોકરીઓ આપતા નથી. કારણ કે, તે એવા લોકો ઈચ્છે છે જે રાજકીય દંગા અને ગુંડાગીરી ફેલાવી શકે.
અરવિંદ કેજરીવાલે કેટલાય પ્રોજેક્ટનો હવાલો આપતા કહ્યું કે, તેમની સરકારે દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે. કેજરીવાલે કહ્યું કે, અન્ય પાર્ટીના લોકો આ રાજ્યમાં બાળકોને નોકરીઓ નહીં આપે, તે શિક્ષણ નહીં આપે કારણ કે, તેઓને એવા લોકો જોઈએ છે, જે રમખાણો કરાવે, જે ગુંડાગીરી ફેલાવે, અમે સભ્ય લોકો છીએ, અમે તેમની પાસે કંઈ કરાવા નથી માગતા, અમે આવા પ્રકારની પ્રથામાં સામેલ થવા નથી માગતા.
ગઠબંધનને આપ્યું આ નામ
બંને પાર્ટીએ હાથ મિલાવ્યા બાદ આ ગઠબંધનને પીપુલ્સ વેલફેર અલાયંસ (PWA) નું નામ આપ્યું છે.