ભાવનગરમાં ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજાયો. આ હેઠળ શહેર ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયુ હતું.
ભાવનગરમાં ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ
શહેર ભાજપ દ્વારા કરાયુ બાઇક રેલીનું આયોજન
કેજરીવાલ પહેલા ગુજરાતમાં ખાતુ તો ખોલાવેઃ પાટીલ
ભાવનગરમાં ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન પાટીલે સંબોધન કર્યું હતું. ભાવનગરમાં ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં વિધાનસભા ચૂંટણીને લઇ સી.આર. પાટીલે ભાજપ કાર્યકરોને સલાહ આપી. તેમણે કહ્યું કે, મતનુ સુદર્શન ચક્ર ફેરવવાનુ છે.
કેજરીવાલ પહેલા ગુજરાતમાં ખાતુ તો ખોલાવેઃ પાટીલ
રાજકોટમાં અરવિંદ કેજરીવાલે મોટો દાવો કરતા કહ્યું હતું કે, સુરતમાં 12 માંથી 7 બેઠક AAPને મળશે. ત્યારે હવે કેજરીવાલના જીતના દાવા પર પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, કેજરીવાલ પહેલા ગુજરાતમાં ખાતુ તો ખોલાવે.
વિધાનસભાના ઉમેદવારો PM મોદી નક્કી કરશે
CR પાટીલે કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે વિધાનસભામાં ઉમેદવારો નક્કી કરશે તે PM નરેન્દ્ર મોદી નક્કી કરશે. પ્રમુખ તરીકે ઉમેદવાર નક્કી કરવાની સત્તા નથી. બધી સત્તા PM મોદી અને શાહ પાસે સત્તા છે. તે બધા ઉમેદવારોને સારી રીતે ઓળખે છે. તમારી કોઈ વાત હશે તો ઉપર સુધી પહોંચાડીશ. તે કોઈ નિર્ણય લે તે વધાવી લેજો.