દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો હિન્દુ દેવી-દેવતાઓનો બહિષ્કાર કરતો એક વીડિયો વાયરલ થયો છે, જેના કારણે નવેસરથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ પછી ભાજપ આમ આદમી પાર્ટી પર હુમલો કર્યો હતો. સાથે જ આ સમગ્ર મામલે દિલ્હી ભાજપ તરફથી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ટ્વિટ કર્યું હતું કે, "કોઈ પણ ધર્મ એવું શીખવતો નથી કે અન્ય કોઈ ધર્મનું અપમાન થવું જોઈએ".
વાયરલ થયો વિડીયો
વાયરલ વીડિયોમાં એક બૌદ્ધ સંત સેંકડો લોકોને હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પણ સામેલ છે. વીડિયોમાં બધાને એમ કહેતા સાંભળી શકાય છે કે, "હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની વાત નહીં માનું. હું રામ-કૃષ્ણની પૂજા નહીં કરું. હું કોઈ પણ હિન્દુ દેવતામાં વિશ્વાસ કરીશ નહીં. ''
एक बार फिर AAP का हिंदू विरोधी चेहरा बेनकाब..@ArvindKejriwal के मंत्री लोगों से शपथ दिलवा रहे हैं कि मैं किसी ब्रह्मा, विष्णु, महेश को नहीं मानूंगा!
तो फिर चुनाव के दौरान मंदिरों में क्या दर्शाने के लिए जाते हो?
ધર્મ પરિવર્તન માટે આમ આદમી પાર્ટી બની એજન્સી
આ પછી ભાજપે આમ આદમી પાર્ટી પર ઓલ આઉટ એટેક શરૂ કરી દીધો છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે કેજરીવાલના મંત્રીઓ દિલ્હીમાં હિન્દુઓ, હિન્દુ દેવી-દેવતાઓને ગાળો આપી રહ્યા છે અને કેજરીવાલ ગુજરાતમાં 'જય શ્રી કૃષ્ણ' નો જાપ કરવાનો ઢોંગ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી મફત આપીને ગરીબ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરવાની એજન્સી બની ગઈ છે.
મનોજ તિવારીએ આપ્યું નિવેદન
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે તે હિન્દુત્વ અને બૌદ્ધ ધર્મનું અપમાન છે. આમ આદમી પાર્ટીના મંત્રીઓ રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંત્રીને તાત્કાલિક પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ. અમે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી રહ્યા છીએ.
રાજેન્દ્ર ગૌતમે કરી સ્પષ્ટતા
આ કાર્યક્રમમાં હાજર રહેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, "ભાજપ રાષ્ટ્રવિરોધી છે. હું બૌદ્ધ ધર્મમાં માનું છું. આમાં શું સમસ્યા છે? તેમને ફરિયાદ કરવા દો. બંધારણ આપણને કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર આપે છે. ભાજપ 'આપ'થી ડરી રહી છે. તેઓ ફક્ત અમારી સામે બનાવટી કેસ દાખલ કરી શકે છે. ''