દિલ્હી વિધાનસભા 2020ની ચૂંટણીમાં જીતનો ખિતાબ જીતી લીધા બાદ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આવતીકાલે સતત ત્રીજીવાર સીએમ પદના શપથ લઈ રહ્યા છે. કેજરીવાલના આવનારા 5 વર્ષ તેમને માટે કેવા જશે તે અંગે જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી છે. કેજરીવાલની કુંડળીનો ગુરુ અને પછીનો શનિ તેમને રાજનીતિમાં આગળ વધારશે.
અરવિંદ કેજરીવાલ આવતીકાલે લેશે શપથ
હાલમાં કેજરીવાલ પર ચાલી રહી છે ગુરુની મહાદશા
રાજનીતિમાં કેજરીવાલનો થશે ઉદય
અરવિંદ કેજરીવાલની કુંડળી મેષ લગ્નની છે. શનિ મકર રાશિમાં બેઠેલો છે. આ રીતે શનિ એકદમ કેન્દ્રમાં છે. કેન્દ્રમાં શનિના રહેતા જનતાનો ભરોસો જીતવાનું સરળ બને છે. સંયોગની વાત એ છે કે દેશમાં જેટલા પણ પ્રધાનમંત્રી બન્યા છે તેમની કુંડળીમાં કેન્દ્રમાં શનિ હતો. એવામાં રાજનીતિમાં કેજરીવાલનો ઉદય નક્કી છે.
મુખ્યમંત્રી તરીકે આવનારા વર્ષ સારા રહેશે
કેજરીવાલના મેષ લગ્નમાં નીચો શનિ છે. તેના કેન્દ્રમાં સૂર્ય અને બુધ આદિત્ય યોગથી રાજયોગ બન્યો છે. મંગળ અને ગુરુ નવમા ભાવ ધનુ રાશિમાં છે. નીચલો મંગળ તેમની રાશિમાં કરિયરને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું કામ કરશે. ગ્રહોની સ્થિતિથી જાણી શકાય છે કે આવનારા 5 વર્ષ મુખ્યમંત્રીને માટે સારા સાબિત થશે. આ સમયે કેજરીવાલ ક્ષેત્રીય રાજનીતિથી રાષ્ટ્રિય રાજનીતિ તરફ આગળ વધી શકે છે.
દેશમાં જ નહીં વિદેશમાં પણ કેજરીવાલની લોકપ્રિયતા વધશે
ગુરુની દશા ખતમ થતાં જ ઓગસ્ટમાં શનિની મહાદશા શરૂ થશે. આ સમયે દેશ નહીં વિદેશમાં પણ લોકપ્રિયતા મળશે. આ સાથે પાર્ટીનું નેતૃત્વ પણ પહેલાંથી વધારે સારું કરી શકશે. દસમા ભાવનો શનિ કેજરીવાલને રાષ્ટ્રિય રાજનીતિમાં સફળતા અપાવવા માટે મદદ કરશે. આ સિવાય કેજરીવાલને પણ ચૂંટણીના વાયદા પૂરા કરવામાં ગ્રહોનો સાથ મળશે.
કેજરીવાલને કુંડળીનો મંગળ અપાવશે સફળતા
કેજરીવાલ જાણે છે કે તેમની કુંડળીમાં નીચનો મંગળ એટલે કે રોજગારનો સ્વામી બેઠેલો છે. આ માટે તે પોતાની જીત પર પણ હનુમાનજીને યાદ કરવાનું ચૂકતા નથી. આવનારા 5 વર્ષમાં મંગળ દરેક કામમાં સફળતા અપાવશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુંડળી વૃશ્વિક લગ્નની છે. મોદીની રાશિથી પણ શનિની સાડા સાતી પૂર્ણ થવાના આરે છે. આવી સ્થિતિમાં પીએમ મોદીનો એક વાર ફરી જનતા સાથે મિલાપ વધે તેવા યોગ સર્જાઈ રહ્યા છે.
પીએમ મોદી- કેજરીવાલ સાથે રહેશે તો મેળવશે સફળતા
પીએમ મોદી અને કેજરીવાલની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જણાવે છે કે બંને મળીને એક મેકની આલોચના કર્યા વિના દિલ્હીને આગળ લઈ જવાનું કામ કરશે. બંને માટે રાજનીતિમાં આગળ વધવાના યોગ બની રહ્યા છે. અગાઉ પણ જ્યોતિષીએ કેજરીવાલના સીએમ બનવાની વાત કરી હતી અને હવે તે સ્પષ્ટ થઈ ચૂકી છે.