અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ સક્સેના વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. જેમાં કેજરીવાલ સરકારના મંત્રીઓએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કહ્યું કે...
અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ સક્સેના વચ્ચે ખટરાગ
અધિકારીઓને એલજી સક્સેના આદેશ ન પાળવા સૂચન
TBRનું કડકપણે પાલન કરવા સ્પષ્ટ સૂચના
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ સક્સેના વચ્ચે ખટરાગ દિવસેને દિવસે વધતો જાય છે. આવી સ્થિતિ વચ્ચે દિલ્હીમાં કેજરીવાલ સરકારના મંત્રીઓએ પોતાના અધિકારીઓને એલજી સક્સેના આદેશ લેવાનું બંધ કરવા તાકીદ કરતા આ મુદ્દો ગાજયો છે.
કારણ આપતા જણાવ્યું કે...
ત્યારબાદ કેજરીવાલ સરકારના તમામ મંત્રીઓએ પોતપોતાના વિભાગના સચિવો અને અધિકારીઓને ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ્સ TBRનું કડકપણે પાલન કરવા સ્પષ્ટ સૂચના પણ આપી દીધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે એલજી સક્સેના તરફથી મળેલા કોઈપણ આદેશ અંગે જેતે વિભાગના મંત્રીને જાણને જાણ કરવી જરૂરી છે. આમ કરવા પાછળનું કારણ જણાવતા કેજરીવાલ સરકારના મંત્રીઓએ કહ્યું કે ઉપરાજ્યપાલ સક્સેનાના આવા ગેરબંધારણીય સીધા આદેશોનો અમલ કરવો એ ટીબીઆરના નિયમ 57નું ઉલ્લંઘન હોવાનું જણાવ્યું છે. વધુણા. એલજીએ આપેલા કોઈપણ આદેશ બંધારણ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ન હોવાનો પણ દાવો કર્યો હતો.
आज सुबह LG साहिब का पत्र मिला। उन्हें मेरा जवाब।
सर, हमें अपना काम करने दीजिए, आप दिल्ली की क़ानून व्यवस्था ठीक कीजिए ताकि कंझावला जैसा दूसरा केस फिर ना हो… pic.twitter.com/3ZTW2rpDG7
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નિવેદનમાં કહ્યું હતું કે દિલ્હીમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે એલજી સક્સેનાએ કાર્યવાહીની દિશામાં વિચારવું જોઇએ. વધુમાં નેબ સરાય પોલીસ મથક હેઠળ આવતા વિસ્તમા 75 વર્ષીય વૃદ્ધાની હત્યા મામલે તેમણે મીડિયા અહેવાલો શેર કર્યા હતા. જેમાં તેમણે ટ્વિટ કરતા લખ્યું હતું કે જ્યારે તમે ગઈકાલે કહ્યું કે તમે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી સંતુષ્ટ છો ત્યારે લોકોમાં અસંતોષનો ભાવ હતો. કેજરીવાલે વધુમાં ઉમેર્યું કે ઉઓ રાજ્યપાલજી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવાં કઈક પગલાં ભરો. અત્રે નોંધનીય છે કે બુધવારે એલજી સક્સેનાએ દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનરો સાથે બેઠક યોજી હતી. બાદમાં લેફ્ટનન્ટ ગવર્નર ટ્વિટર કરીને પોલીસની કામગીરીને બિરદાવી હતી.