કેજરીવાલના ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર; કોંગ્રેસની પાંચથી ઓછી સીટ આવશે અને ભાજપના વોટ શેયર 38 ટકાથી ઓછા હશે
અરવિંદ કેજરીવાલ સાથે વાતચીત
'ગુજરાતમાં AAPની સરકાર બનશે'
'AAPની સરકારમાં નહીં ફૂટે પેપર'
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવાંમાં આવી છે. ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે. ભાજપને ફરી સત્તામાં આવવું છે તો કોંગ્રેસને શાસનની ધુરા સંભાળવી છે અને આપને ગુજરાતમાં મજબુત એન્ટ્રી અકબંધ રાખવી છે. ત્યારે ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે તો કોંગ્રેસના રાહુલ ગાંધી અને આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાના પ્રવાસે છે ત્યારે પ્રવાસ દરમિયાન કેજરીવાલે VTV સાથે કરી ખાસ વાતચીત કરી છે.જુઓ આ વીડિયો..
કેજરીવાલની VTV સાથે કરી ખાસ વાતચીત રિપોર્ટર: તમે ગુજરાતમાં પ્રચાર કરી રહ્યાં છો શુ લાગે છે?
જે સવાલના જવાબમાં કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સારો માહોલ છે ખૂબ જ લોકોનો પ્રેમ મળી રહ્યો છે, તેમણે કહ્યું યુવાઓને એક વાત કહેવા માગુ છું કે, પેપર ફૂટતા નથી ફોડવામાં આવે છે જે નેતાઓ ફોડે છે ભાજપની સરકાર બનશે તો ફરી પેપર ફૂટતા જ રહેશે. એક મોકો આપને આપશો તો એકપણ પેપર નહી ફૂટે તેમણે કહ્યું કે, તમારી રોજગારીની ગેરેન્ટી લંઉ છું. રિપોર્ટર: તમે ગેરન્ટી આપી રહ્યાં છો ભાજપ તેને રેવડી કલ્ચર માને છે?
જેના જવાબમાં કેજરીવાલે કહ્યું, તેમણે કહ્યું બુલકુલ સાચી વાત છે એ પણ રેવડી વહેચે છે અને હુ પણ રેવડી વહેચુ છું ફર્ક એટલો છે કે, એ અમીરોને રેવડી આપે છે કોઈને 10 હજાર કરોડની લોન માફ કરે છે અને હું જનતાની વીજળીના બીલ માફ કરૂ છું, મહિલાઓને 1000 રૂપિયા આપું છું તેમજ બેરોજગારોને રોજગારી આપું છું. હું લોકોને રેવડી આપું છું અને તે અમીરોને રેવડી આપે છે. રિપોર્ટર: દિલ્હી અને ગુજરાત વચ્ચે ઘણી બાબતે તફાવત છે બેજેટ જેવી વિવિધ બાબતે કઈ રીતે થશે?
કેજરીવાલે કહ્યું, દિલ્હી અને ગુજરાતમાં સમસ્યા એક જેવી જ છે, શિક્ષણ, બેરોજગારી, સારી હોસ્પિટલ જેવી.. રિપોર્ટર: કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ આપને ભાજપની બી ટીમ કહે છે?
આમ આદમી પાર્ટી આમ આદમીની એ ટીમ છે અને કોંગ્રેસ ભાજપમાં શુ ચાલે છે તે બધા જ જાણે છે કે, જો કોંગ્રેસ કોઈ નેતા જીતે તો તે ભાજપમાં જતો રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. રિપોર્ટર: કોંગ્રેસની ગુજરાતમાં કેટલી સીટ આવશે?
કેજરીવાલ: કોંગ્રેસની પાંચથી ઓછી અને ભાજપના વોટ શેયર 38 ટકાથી ઓછા આવશે.
ગુજરાતમાં AAPની સરકાર બનશે:કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન કેજરીવાલે VTV સાથે ખાસ વાતચીત કરી હતી તેમણે કહ્યું કે, ગુજરાતમાં AAPની સરકાર બનશે અને અમારી સરકાર આવી તો પેપર નહીં ફૂટે તેમજ અમારી સરકાર આવશે તો માર્ચ મહિનાથી વીજળીનું બીલ શૂન્ય આવશે તેમણે કહ્યું કે, ગુજરાતના લોકો બેરોજગારી અને મોંઘવારી માટે મત આપશે. રેવડી કલ્ચર પર બોલ્યા કેજરીવાલ કહ્યું કે, હું સામાન્ય પ્રજાને ફાયદો કરનારી રેવડી વેચું છું