દિલ્હીની કેજરીવાલ સરકારે ખેડૂતોને આવતીકાલથી દરરોજ 200 ની સંખ્યામાં જંતર મંતર પર કૃષિ કાયદાની સામે દેખાવ કરવાની મંજૂરી આપી દીધી છે.
દિલ્હી સરકારે આવતીકાલે ખેડૂતોને પ્રદર્શનની મંજૂરી આપી
22 મીએ દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરશે ખેડૂતો
૨૨ જુલાઈથી ૯ ઓગસ્ટ સુધી ખેડૂતોને પ્રદર્શનની મંજૂરી
કૃષિ કાયદાની વિરૃદ્ધુમાં દરરોજ 200 ખેડૂતો શાંતિપૂર્ણ રીતે દેખાવ કરશે
નવા કૃષિ કાયદાઓ સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીના જંતર મંતર ખાતે પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરવાનગી ૨૨ જુલાઈથી ૯ ઓગસ્ટ સુધીની છે. પ્રદર્શનનો સમય સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શરતો સાથે પ્રદર્શનને મંજૂરી આપી દીધી છે.
ગુરુવારથી શરૂ થતા ખેડૂતોના પ્રદર્શનમાં ૨૦૦થી વધુ ખેડૂતો ભાગ લઈ શકશે
ગુરુવારથી શરૂ થતા ખેડૂતોના પ્રદર્શનમાં ૨૦૦થી વધુ ખેડૂતો ભાગ લઈ શકશે નહીં. સાથે જ તેમણે કોરોના પ્રોટોકોલનું પણ ધ્યાન રાખવાનું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ તરફથી પણ આ પ્રદર્શનની પરવાનગી મળી છે. કહેવામાં આવે છે કે ખેડૂતોને સિંઘુ સરહદથી જંતર મંતર લઈ જવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે સંસદનું ચોમાસુ સત્ર પણ ચાલી રહ્યું છે જે 13 ઓગસ્ટ સુધી ચાલશે.
દિલ્હી પોલીસને પણ ખેડૂતોને દેખાવની આપી મંજૂરી
મંગળવારે ખેડૂત સંગઠનોએ દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ ચોમાસાના સત્ર દરમિયાન જ જંતર મંતર ખાતે કિસાન સંસદની સ્થાપના કરશે. આ દરમિયાન તેઓ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે શાંતિપૂર્ણ દેખાવો કરશે. આ સમયગાળા દરમિયાન કોઈ પ્રદર્શનકારી સંસદમાં જશે નહીં.
26 જાન્યુઆરીએ એક રેલીમાં હિંસા
આ વર્ષે પહેલી વાર લાલ કિલ્લા પર ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા બાદ ખેડૂતોને દિલ્હીમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. 26 જાન્યુઆરીની રેલી દરમિયાન દેખાવકારો ગુસ્સે ભરાયા હતા અને અનેક બદમાશો લાલ કિલ્લામાં પ્રવેશ્યા હતા અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને કિલ્લાની પ્રાચીર પર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો.
કેન્દ્ર અને ખેડૂત બંને અડગ છે
દેશના ખેડૂતો ગયા વર્ષે ડિસેમ્બરથી દિલ્હીની સરહદો પર નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન ખેડૂત સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે 10 રાઉન્ડ ની વાતચીત પણ કરવામાં આવી છે પરંતુ તેનો કોઈ ઉકેલ મળ્યો નથી. ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ પર ખેડૂતો અડગ છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે ખેડૂતોની માંગ મુજબ કાયદામાં ફેરફાર કરી શકે છે પરંતુ કાયદા પાછા ખેંચવામાં આવશે નહીં.