દ્વારકાથી AAP સંયોજક અને દિલ્લીના CM અરવિંદ કેજરીવાલે ખેડૂતો માટે 2 લાખ સુધીના દેવા માફીની જાહેરાત કરી છે.
ખેડૂતોને લઇને AAPની જાહેરાત
દ્વારકામાં AAP સંયોજક અરવિંદ કેજરીવાલની સભા
દેવામાફી અને MSPને લઈ મહત્વની જાહેરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે. અને ગૅરંટી રૂપે એક બાદ એક મહત્વની જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે આજે દ્વારકાની મુલાકાત દરમિયાન કેજરીવાલે ખેડૂતોને લઈ જાહેરાત કરી છે. જાહેરસભાના સંબોધન દરમિયાન ચૂંટણીલક્ષી ગેરંટી આપતા કહ્યું છે કે AAPની સરકાર બનશે તો બે લાખનું ખેડૂતોનું દેવુ માફ કરાશે. AAP સરકાર 5 પાકોને MSPથી ખરીદી કરશે. ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપવામાં આવશે. જમીનના તમામ સરવે રદ કરીશું ખેડૂતોને સાથે રાખી સરવે કરવામાં આવશે તેવી જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને 20 હજાર પ્રતિ એકર વળતર અપાશે. નર્મદાનું પાણી ખેડૂતોને જોઈએ તેમ કોઈ બાંધછોડ વગર આપવામાં આવશે.
ખેડૂતો માટે શું કરી જાહેરાત?
ખેતીના પાક પર MSP
ખેતી માટે દિવસમાં ૧૨ કલાક વીજળી
૨ લાખ સુધીનું દેવું માફ
નર્મદા ડેમના સંપૂર્ણ કમાન્ડ ક્ષેત્રમાં ૧ વર્ષ સુધી પાણી
૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકર વળતર
જમીનના સર્વે રદ્દ કરી નવા સર્વે
ભાજપ અને કોંગ્રેસ એક બીજાના મળતીયા: ઇસુદાન ગઢવી
AAP નેતા ઇસુદાન ગઢવીએ આ જાહેરાત બાદ સંબોધન કરતાં કહ્યું હતું કે ખેડૂતોનો દીકરો છું. ખેડૂતો અને ગરીબોની પીડા જોઇ નહોતો શકતો એટલે રાજકારણમાં આવ્યો. સાની ડેમ, વંગડી ડેમના નિર્માણ એક જ વર્ષમાં પૂર્ણ કરાશે. ખેડૂતોને વીજળી પૂરતી મળતી નથી જે આપની સરકાર આવતા જ મળી જશે. વધુમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવો છે. કલ્યાણપુરના 60 સરપંચોએ AAPનો સંપર્ક કર્યો હતો. AAPની સરકાર બનશે તો બે લાખનું ખેડૂતોનું દેવુ માફ કરાશે. રાવલની જનતાને પાણીના પૂરમાંથી મુક્તિ મળશે. ભાજપ અને કોંગ્રેસ એક બીજાના મળતીયા છે . કોંગ્રેસના વેંચાતા લઇ ભાજપ સરકાર બનાવવા વિચારે છે. AAPની સરકાર બનશે તો રાશન ઘરે આવશે તેમજ હોસ્પિટલમાં સારી સુવિધા મફતમાં મળશે.
દ્વારકાધીશના દર્શન પણ કર્યા
દ્વારકામાં જાહેરસભા બાદ સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારકાધીશના દર્શને પહોચ્યા હતા. દ્વારકાધીશ મંદિરે શાસ્ત્રોક્ત વિધી કરીને આશીર્વાદ મેળવ્યા હતા. કેજરીવાલ સાથે AAPના પ્રદેશ આગેવાનો પણ હાજર હતા. દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારે કરાવી શાસ્ત્રોકત વિધિ કરાવી હતી.